રેશનાલિસ્ટની બાગેશ્વર ધામના બાબાને ચેલેન્જ, પોસ્ટરમાં કરોડો રૂપિયાનું ઈનામ જીતવાની ચેલેન્જ
રાજકોટ, તા.૩૦
બાગેશ્વર ધામના Dhirendra Shastri ગુજરાત આવતા પહેલા જ વિવાદમાં સપડાયા છે. રાજકોટના પાટીદાર અગ્રણી પુરૂષોત્તમ પીપળીયા દ્વારા સોશ્યલ મીડિયા પર અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે તેવી પોસ્ટ મુક્ત વિવાદ શરૂ થયો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીના પરચા કાઢવાને અને દિવ્ય દરબારમાં લોકોની સમસ્યાઓના પ્રશ્નો અંગે વિવાદ સર્જાય જ છે. આ વખતે વિજ્ઞાન જાથાએ પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની ચીમકી આપી હતી. ત્યારે બીજી તરફ, અન્ય એક શખ્સે ધીરેન્દ્ર બાબા ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપવાની જાહેરાત કરી છે. કોણ છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનો દરબાર આગામી ૫ થી ૭ જૂન દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવવા જઈ રહ્યો છે. જે કાર્યક્રમને લઈને રાજકોટ શહેર ખાતે તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. હવે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારને લઈ સોશિયલ મીડિયામાં ગરમાવો જોવા મળ્યો છે. વિદેશથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપવામાં આવી છે. બાબા ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદના રેશનાલીસ્ટ પિયુષ જાદુગર દ્વારા પણ ચેલેન્જ કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, ચમત્કાર કરો અને અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનનું ઈનામ જીતો. પોસ્ટરમાં કરોડો રૂપિયાનું ઈનામ જીતવાની ચેલેન્જ આપવામાં આવી છે.
આ તમામની વચ્ચે જાણીતા એડવોકેટ તેમજ સહકારી આગેવાન પરસોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે. પરસોતમ પીપળીયા દ્વારા પોતાના કટ્ઠષ્ઠીર્હ્વર પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી છે. જે પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘આનંદો ભોળા ભક્તો, ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે.’ મીડિયા સાથેની વાતચીતમાં સહકારી આગેવાન પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વર રાજકોટમાં આવીને અંધશ્રદ્ધા ફેલાવશે. તો સાથે જ તેમણે કહ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ધાર્મિક કાર્યક્રમ કરે તેની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. પરંતુ તેમના દ્વારા જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. સરકારે પણ અંધશ્રદ્ધા ફેલાવનારા વ્યક્તિને કાર્યક્રમ કરતા અટકાવવા જોઈએ. આવનારી પેઢીને આપણે કયા માર્ગે લઈ જઈ રહ્યા છીએ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં બાબા ચમત્કારથી કેન્સર મટાડવાની વાતો કરી રહ્યા છે તે બાબતનો વિરોધ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩ માં રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનો દરબાર યોજાયો હતો.
બાગેશ્વર ધામની હનુમંત કથામાં સ્વાગત યાત્રામાં માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થશે તેવી જાહેરાત કરાઈ છે. પેટ્રોલ ડીઝલની અછત અને માંગને પગલે આ નિર્ણય લેવાયો છે. ૪ જૂનના રોજ રાજકોટ શહેરના ૧૦ ઝોનમાંથી કળશ યાત્રા નીકળશે. જેમાં ૧ લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી કેમેરાથી સભા સ્થળ સજ્જ બનાવાશે. આગામી ૫ થી ૭ જૂન દરમિયાન બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથાનું આયોજન થવાનું છે.

