Mumbai,તા.11
રાજકુમાર રાવની ‘ પ્રહાર’ ફિલ્મ હવે ચાર સપ્ટેમ્બરે થિયેટર્સમાં રીલિઝ થવાની છે. આમ બોક્સ ઓફિસ પર તેની ટક્કર ‘મિર્ઝાપુર: ધ મૂવી’ ફિલ્મ સાથે થશે. .
અવિનાશ અરૂણ નિર્દેશિત ‘ પ્રહાર’ ફિલ્મ ભારતના સૌથી ચર્ચાસ્પદ કોર્ટરૂમ ડ્રામા તરીકે રજૂ કરાઇ રહી છે. આ ફિલ્મમાં આતંકી કસાબને ફાંસી અપાવનાર સરકારી વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકા રાજકુમાર રાવે ભજવી છે. ફિલ્મ મૂળ સાતમી ઓગસ્ટે રીલિઝ થવાની હતી.
જોકે, આ સપ્તાહમાં બીજી અનેક ફિલ્મો રીલિઝ થઈ રહી હોવાથી ‘પ્રહાર’ની રીલિઝ ટાળવામાં આવી હતી.
ફિલ્મમાં ઉજ્જવલ નિકમની પ્રોફેશનલ લાઈફ ઉપરાંત પર્સનલ લાઈફ પણ દર્શાવવામાં આવશે.

