Junagadh તા.16
જુનાગઢ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના ત્રણ બનાવો પોલીસ દફતરે જાહેર થયા છે. માંગરોળ કામનાથ રોડ નઈમવાવ વાડી વિસ્તારમાં રહેતા દાઉલ મુસા પીર (ઉ.49)ને ચારેક વર્ષ પહેલા એટેક આવેલ જેમાં સ્ટેન્ડ બેસાડેલ હોય જેની દવા પણ ચાલુ હોય ગરમીના વાતાવણમાં બેચેની ડીપ્રેશનમાં રહેતા હોય જે તનાવમાં આવી જઈ ગઈકાલે કુવામાં પડી જતા મોત નોંધાતા માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.
શખ્સનું મોત
વિસાવદર જકાતનાકાની સામે રહેતા સંજયભાઈ કાળુભાઈ રીબડીયા (ઉ.40) ગઈકાલે ચાલીને વાડીએ જતા હોય ત્યારે કોઈપણ કારણોસર માંડાવડથી મોણીયાના રસ્તે મોત નોંધાતા વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે. જુનાગઢ મધુરમ પ્રિયંકા પાર્ક ખાતે રહેતા કૃણાલભાઈ રાજેન્દ્રભાઈ પંડયા (ઉ.38) વેસ્ટર્ન પાર્કની બાજુ કોઈ અગમ્ય કારણોસર મરણ જતા સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

