Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jasdan ની આલ્ફા હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું બિમારીમાં શંકાસ્પદ મોત

    June 25, 2026

    Rajkot: RMCમાં નવા શાસકોનું આજે પ્રથમ જનરલ બોર્ડ

    June 25, 2026

    Rajkot છુટાછેડાની અદાવતમાં પુત્રવધુ સહીતના શખ્સોએ સાસુનો હાથ ભાંગી નાખ્યો

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jasdan ની આલ્ફા હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું બિમારીમાં શંકાસ્પદ મોત
    • Rajkot: RMCમાં નવા શાસકોનું આજે પ્રથમ જનરલ બોર્ડ
    • Rajkot છુટાછેડાની અદાવતમાં પુત્રવધુ સહીતના શખ્સોએ સાસુનો હાથ ભાંગી નાખ્યો
    • Rajkot અજાણ્યા ટ્રક હડફેટે અણીયારીના બાઈક ચાલકનું મોત
    • Kalol-Mehsana હાઇ-વે પર ટ્રાફિક જામથી પૂર્વ ડે. સી.એમ. ગુસ્સે ભરાયા
    • September માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે
    • પાકિસ્તાની Army Chief Asim Munir ની હત્યાનું કાવતરુ : મોસાદની સાજિશ નિષ્ફળ
    • મહાવિકાસ અઘાડીની બેઠકમાં ખુદ Sharad Pawar અને 23 ધારાસભ્યો ગેરહાજર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Rajkot થી રોજ સવારે 9-30 વાગ્યે વંદે ભારત ટ્રેન દ્વારકા દોડશે
    મુખ્ય સમાચાર

    Rajkot થી રોજ સવારે 9-30 વાગ્યે વંદે ભારત ટ્રેન દ્વારકા દોડશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુરેન્દ્રનગર, વાંકાનેર, જામનગર, ઓખાને લાભ

    Rajkot, તા.25
    ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે જવા માંગતા અમદાવાદીઓ હવે એક જ દિવસમાં દ્વારકાની મુલાકાત લઈને વંદે ભારત એક્સપ્રેસ દ્વારા પરત ફરી શકશે. અમદાવાદના રેલ મુસાફરો તથા યાત્રાળુઓ માટે રેલવે મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે.

    રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, અમદાવાદ-ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રક, ટર્મિનલ સ્ટેશન અને સંચાલનના દિવસોમાં મોટા ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે.

    રેલવે બોર્ડના નવા આદેશ અનુસાર, ટ્રેન નંબર 22925/22926 વંદે ભારત એક્સપ્રેસ હવે અમદાવાદ મુખ્ય રેલવે સ્ટેશનને બદલે સાબરમતી જંકશનથી ઉપડશે અને ત્યાં જ પોતાની સફર પૂર્ણ કરશે. આ ઉપરાંત, પશ્ચિમ અમદાવાદ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓની સુવિધા માટે આ ટ્રેનને આંબલી રોડ  સ્ટેશન પર નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને હવે કાલુપુર મુખ્ય સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં.

    આ ટ્રેનની શરૂઆત બાદ અમદાવાદથી દ્વારકા વચ્ચેનું અંદાજે 450 કિલોમીટરનું અંતર માત્ર 7 કલાક 5 મિનિટમાં પૂર્ણ કરી શકાશે.
    ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ સાબરમતી જંક્શનથી સવારે 06ઃ15 વાગ્યે રવાના થશે.
    ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ઓખા રેલવે સ્ટેશનથી સાંજે 16ઃ45 વાગ્યે રવાના થશે.

    રેલવે બોર્ડના આદેશ મુજબ, ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ સવારે 6ઃ15 વાગ્યે સાબરમતી જંકશનથી ઉપડશે અને આંબલી રોડ, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા થઈને બપોરે 1ઃ20 વાગ્યે ઓખા પહોંચશે.

    ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું અંદાજે રૂા.1300થી વધુ અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું લગભગ રૂા.2500ની આસપાસ હોઈ શકે છે.

    નવા મંજૂર થયેલા સમયપત્રક મુજબ, સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ  સવારે 06ઃ15 વાગ્યે સાબરમતી જંકશનથી ઉપડશે. તે બાદ

    આંબલી રોડઃ સવારે 06ઃ23 / 06ઃ25 સાણંદઃ સવારે 06ઃ27 / 06ઃ29 વિરમગામઃ સવારે 07ઃ00 / 07ઃ00 સુરેન્દ્રનગરઃ સવારે 07ઃ48 / 07ઃ50 વાંકાનેરઃ સવારે 08ઃ43 / 08ઃ45 રાજકોટઃ સવારે 09ઃ31 / 09ઃ36 જામનગરઃ સવારે 10ઃ43 / 10ઃ48 દ્વારકાઃ બપોરે 12ઃ32 / 12ઃ37 ઓખાઃ બપોરે 13ઃ20 વાગ્યે પહોંચશે
    પરત ફરતી ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ઓખાથી સાંજે 16ઃ45 વાગ્યે ઉપડશે અને રાત્રે 23ઃ15 વાગ્યે સાબરમતી જંકશન પહોંચશે. રૂટમાં
    દ્વારકાઃ સાંજે 17ઃ05 / 17ઃ10,જામનગરઃ સાંજે 18ઃ36 / 18ઃ41, રાજકોટઃ રાત્રે 19ઃ44 / 19ઃ4,વાંકાનેરઃ રાત્રે 20ઃ20 / 20ઃ22,સુરેન્દ્રનગરઃ રાત્રે 21ઃ11 / 21ઃ13,વિરમગામઃ રાત્રે 21ઃ59 / 22ઃ01,સાણંદઃ રાત્રે 22ઃ29 / 22ઃ31,આંબલી રોડઃ રાત્રે 22ઃ40 / 22ઃ42,સાબરમતી જંકશનઃ રાત્રે 23ઃ15 વાગ્યે પહોંચશે

    આ ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓ બપોરે 13ઃ20 વાગ્યે ઓખા પહોંચશે. જો તેઓ એ જ ટ્રેનમાં પરત ફરવા ઇચ્છતા હોય, તો તેમને કુલ 3 કલાક 25 મિનિટનો સમય મળશે. આ દરમિયાન ભક્તો દ્વારકાધીશ મંદિરના દર્શન સહિત અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. ટ્રેન સાંજે 16ઃ45 વાગ્યે ઓખાથી પરત રવાના થશે.

    અગાઉ આ ટ્રેન અલગ-અલગ દિવસોમાં (અમદાવાદ-ઓખા મંગળવારે અને ઓખા-અમદાવાદ બુધવારે) બંધ રહેતી હતી. નવી વ્યવસ્થા અને સુધારા મુજબ, હવે આ બંને ટ્રેનો અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને માત્ર મંગળવારના દિવસે જ તેનું સંચાલન બંધ રહેશે.

    રેલવે બોર્ડે પશ્ચિમ રેલવે  ને એડવાન્સ રિઝર્વેશન સિસ્ટમમાં જરૂરી ફેરફારો તાત્કાલિક અસરથી લાગુ કરવા અને મુસાફરો સુધી આ માહિતી પહોંચાડવા માટે આદેશ આપ્યો છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: RMCમાં નવા શાસકોનું આજે પ્રથમ જનરલ બોર્ડ

    June 25, 2026
    રાજકોટ

    Rajkot છુટાછેડાની અદાવતમાં પુત્રવધુ સહીતના શખ્સોએ સાસુનો હાથ ભાંગી નાખ્યો

    June 25, 2026
    રાજકોટ

    Rajkot અજાણ્યા ટ્રક હડફેટે અણીયારીના બાઈક ચાલકનું મોત

    June 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    September માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે

    June 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાની Army Chief Asim Munir ની હત્યાનું કાવતરુ : મોસાદની સાજિશ નિષ્ફળ

    June 25, 2026
    અન્ય રાજ્યો

    મહાવિકાસ અઘાડીની બેઠકમાં ખુદ Sharad Pawar અને 23 ધારાસભ્યો ગેરહાજર

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jasdan ની આલ્ફા હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું બિમારીમાં શંકાસ્પદ મોત

    June 25, 2026

    Rajkot: RMCમાં નવા શાસકોનું આજે પ્રથમ જનરલ બોર્ડ

    June 25, 2026

    Rajkot છુટાછેડાની અદાવતમાં પુત્રવધુ સહીતના શખ્સોએ સાસુનો હાથ ભાંગી નાખ્યો

    June 25, 2026

    Rajkot અજાણ્યા ટ્રક હડફેટે અણીયારીના બાઈક ચાલકનું મોત

    June 25, 2026

    Kalol-Mehsana હાઇ-વે પર ટ્રાફિક જામથી પૂર્વ ડે. સી.એમ. ગુસ્સે ભરાયા

    June 25, 2026

    September માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jasdan ની આલ્ફા હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું બિમારીમાં શંકાસ્પદ મોત

    June 25, 2026

    Rajkot: RMCમાં નવા શાસકોનું આજે પ્રથમ જનરલ બોર્ડ

    June 25, 2026

    Rajkot છુટાછેડાની અદાવતમાં પુત્રવધુ સહીતના શખ્સોએ સાસુનો હાથ ભાંગી નાખ્યો

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.