Kolkata, તા.3
ન્યૂઝીલેન્ડના આક્રમક બેટ્સમેન ડેરિલ મિચેલ એ કહ્યું છે કે, ટીમને ભારતમાં રમવાનો તાજેતરનો અનુભવ તેમને T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ફાયદો કરાવશે. બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાનારી પહેલી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો સામનો ગયા વર્ષના રનર-અપ દક્ષિણ આફ્રિકા સામે થશે.
તેમણે સોમવારે ન્યૂઝીલેન્ડ ક્રિકેટને જણાવ્યું હતું કે, “અમે એક ટીમ તરીકે કેવી રીતે રમવા માંગીએ છીએ તે અંગે અમે ખૂબ જ સ્પષ્ટ છીએ. અમે છેલ્લા બે મહિનામાં ભારતમાં ઘણો સમય વિતાવ્યો છે અને અમને અહીંની પરિસ્થિતિઓનો ખ્યાલ છે.
ખેલાડીઓ છેલ્લા કેટલાક મહિનાઓની તૈયારી પર આધાર રાખશે.” ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું.

