જમ્મુ કાશ્મીર સ્થિત ટ્રાવેલ એજન્સીઓ અને હોટેલ સંચાલકો એરપોર્ટ ઓથોરિટીના આ પગલા પર પુનર્વિચાર કરવા વિનંતી કરી રહ્યા છે
Srinagar,તા.૨
શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હાથ ધરાનારા સમારકામને કારણે, ઓક્ટોબર મહિનાની ૧થી ૧૫ તારીખ સુધી બંધ રાખવાની જાહેરાત શ્રીનગર એરપોર્ટે કરી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અંતર્ગત શ્રીનગર એરપોર્ટનારનવે રિપેર કરવાને કારણે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ ૧ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. રનવેના સમારકામને કારણે જુલાઈથી સપ્ટેમ્બર સુધી, દર અઠવાડિયે બે દિવસ માટે ફ્લાઇટ કામગીરી પણ ખોરવાઈ જશે. આ નિર્ણયથી કાશ્મીરના પર્યટન ઉદ્યોગને નોંધપાત્ર નુકસાન થવાની આશંકા છે. જમ્મુ કાશ્મીર સ્થિત ટ્રાવેલ એજન્સીઓ અને હોટેલ સંચાલકો એરપોર્ટ ઓથોરિટીના આ પગલા પર પુનર્વિચાર કરવા વિનંતી કરી રહ્યા છે.
શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ ૧ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ ફ્લાઇટ્સ સુવિધા પરથી ઉડાન ભરી શકશે નહીં. કારણ કે એરપોર્ટ પર રનવે રિપેરનું કામ હાથ ધરવાનું છે. સંપૂર્ણ બંધ પહેલાં, જુલાઈથી સપ્ટેમ્બરના અંત સુધી એરપોર્ટ દર અઠવાડિયે બે દિવસ બંધ રહેશે. ઓક્ટોબર મહિનો દુર્ગા પૂજાની રજાઓ સાથે એકરુપ છે, તે સમય જ્યારે દેશના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લે છે.
એરપોર્ટ બંધ થવાને કારણે, ટ્રાવેલ એજન્સીઓને એવો ડર સતાવી રહ્યો છે કે લોકો તેમના બુકિંગ રદ કરી નાખશે. પરિણામે, કાશ્મીરના પર્યટન ઉદ્યોગને ભારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જો કે એરપોર્ટ ઓથિરીટીના અધિકારીઓએ જણાવ્યું છે કે, રનવેની સલામતી અને અખંડિતતા માટે સમારકામ જરૂરી છે. કારણ કે આ એરપોર્ટ સુરક્ષાની દ્રષ્ટિએ પણ સંવેદનશીલ ગણાય છે.
ભારતીય વાયુસેના દ્વારા એરમેનને નોટિસ (ર્દ્ગં્છસ્) જાહેર કરવામાં આવ્યા બાદ ૬ એપ્રિલથી ફ્લાઇટ કામગીરી પર પ્રતિબંધ છે. ચાલુ કાર્યને કારણે ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં, ફ્લાઇટ્સ ફક્ત સવારે ૮ઃ૦૦ થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી જ કાર્યરત છે.
પહેલાં, ફ્લાઇટ્સ સવારે ૭ઃ૦૦ થી રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યા સુધી કાર્યરત હતી. ઓક્ટોબરમાં પંદર દિવસ માટે, એરપોર્ટ સંપૂર્ણપણે બંધ રહેવાનું નક્કી છે. હોટેલ અને ટ્રાવેલ ઉદ્યોગના હિસ્સેદારો સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી રહ્યા છે.
પ્રવાસન દ્રષ્ટિકોણથી, ઓક્ટોબર સામાન્ય રીતે વર્ષનો સૌથી વ્યસ્ત મહિનો હોય છે. વ્યવસાય માલિકોનો દાવો છે કે ફ્લાઇટ્સ સ્થગિત કરવાથી પ્રવાસીઓનો ધસારો અટકશે અને સ્થાનિક વ્યવસાયોને ભારે નુકસાન થશે.

