RAJKOT,તા.15
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા.7મી ઓક્ટોબર, 2001ના રોજ શપથ લીધા હતા. ગુજરાતની ધુરા સંભાળતાં જ તેઓએ સૌને વિકાસનો મંત્ર આપી સતત વિકાસના પથ પર આગળ વધતા રહ્યા હતા.
પ્રધાનમંત્રી બન્યા બાદ પણ અનેક પડકારો વચ્ચે વિકાસયાત્રાને ધબકતી રાખી છે. તેઓના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે તા.7થી 15મી ઓક્ટોબર દરમિયાન ભારત વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટીંગથી સજાવવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યું છે. રાત-દિવસનો અલગ નજારો નજરે પડી રહ્યો છે.