RAJKOT,તા.16
“શ્રી આપાગીગાના ઓટલા” સેવાના સુવાસથી સમગ્ર ભારત સહીત દેશ વિદેશના અનેરી ખ્યાતી પ્રાપ્ત કરનાર 18 કોમ (વરણ) તેમજ દરેક જ્ઞાતિની આસ્થા અને શ્રઘ્ધાનુ‘ કેન્દ્ર “શ્રી આપાગીગાનો ઓટલો” દ્વારા માં ભગતવતીના નવલા નોરતાના પ્રસ‘ગે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા દિવ્યાતિદિવ્ય તેમજ ભવ્યાતિ ભવ્ય નવરાત્રી અનુષ્ઠાન તેમજ નવરાત્રી મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આસો સુદ -1 સુદ -9 સુધી દરરોજ બ્રહ્મદેવો દ્વારા સવારથી બપોર સુધી હોમાત્મક તેમજ પાઠાત્મક હવન કાર્યો સહીતની ધાર્મીકવિધીઓ સાથે દશેરા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.હવન કાર્યની પુર્ણાહુતી અને બિડુ હોમવાનો સમય તા.12-10-2024, શનીવાર હવનમાં બીડુ હોમવામાં આવેલ હતુ. દશેરાના દિવસેમાં ભગવતીના અન્નકોટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ત્યારબાદ સમગ્ર અન્નકોટ પ્રસાદનું આવેલ માં ભગવતીના સ્વરૂપ દરેક દિકરીઓ તેમજ મહેમાનોને અન્નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદનુ” વિતરણ કરવામાં આવેલ હતુ. જેનો દરેક બાળાઓ તેમજ આવેલ શ્રઘ્ધાળુઓને મહાપ્રસાદરૂપી અન્નકોટ પ્રસાદ પીરસવામા‘ આવેલ હતો.
મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ આગામી દશેરાના દિવસે યોજાનારા ખાસ વિવિધ ગરબી મંડળની બાળાઓને લાહણી વિતરણ તેમજ પ્રસાદી સ્વરૂપે રોકડ (ભેટપૂજા) આપવાના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત સંતો અને મહંતોની ખાસ હાજરીમાં લ્હાણી વિતરણ તેમજ રોકડ ભેટ આપવામાં આવેલ હતી.આ નવરાત્રી નિમિતે ચોટીલા તાલુકા, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર જીલ્લો તેમજ સૌરાષ્ટ્રની અનેક ગરબી મંડળની માં જગદંબા સ્વરૂપ હજારો બાળાઓએ શ્રી આપાગીગાના ઓટલે માં ભગવતીની આરાધના કરી અને આર્શીવાદ આપેલ હતા. તેમજ કાર્યકર્તાઓને વિશેષ મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામા‘ આવી હતી.
શ્રી આપાગીગાના ઓટલા દ્વારા છેલ્લા 12 વર્ષથી અવરત પણે 24 કલાક સંપૂર્ણ વિનામુલ્યે અન્નક્ષેત્ર ધમધમી રહયું છે તથા રોજ ખુબ જ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લઇ અને અમોને આભારી કરી રહયા છે. તે બદલનો અમો તેઓનો હદયપૂર્વક આભાર માનીએ છીએ. ભારતીય સંસ્કૃતિ મુજબ સમગ્ર દેશની અંદર ધાર્મિક તહેવારોનું વિશેષ મહત્વ હોય તેમાં પણ માં ભગવતીની આરાધના કરવા માટે નવરાત્રી મહોત્સવમાં માતાજીની આધારના કરવામાં આવે છે. રાજકોટ, ચોટીલા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના દરેક કાર્યકર્તાઓ દ્વારા ખુબજ સહારનીય રીતે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ તકે ગરબી મંડળના આયોજક બહેનો ભાઇઓ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં પણ સેવાઓ આપી હતી.
તે સર્વેને કાર્યકર્તાઓને નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા માં ભગવતી તેમજ ભગવાન ભોળાનાથ અને દ્વારકાધીશ ના આર્શીવાદ આપવામાં આવેલ હતા. આ દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેવુ મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જણાવ્યું છે. આ મહોત્સવમાં તા. 12-10-2024, શનીવાર (દશેરા) નિમિતે સવારે 9-00 વાગ્યાથી સાંજે 5-00 વાગ્યા સુધી ગુજરાતના નામાંકીત લોક ગાયક વિશાલ વરૂ વગેરે ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે માતાજીની આરાધના કરાવી હતી તેમના સંગીતના સુરે જગદંબા સ્વરૂપ બાળાઓએ ભવ્ય દિવ્ય વાતાવરણ જોવામાં આવ્યુ હતુ.
આ તકે ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર વલવી સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સવારથી સાંજ સુધી લઇ અને ખુબજ સહારનીય કામગીરીઓ બજાવવામાં આવેલ હતી અને સંપૂર્ણ પોલીસ સ્ટાફ દ્વારા એસ.પી. શ્રી પંડયા સાહેબ સુરેન્દ્રનગર ડી.વાય.એસ.પી. વી.બી. જાડેજા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલ હતી. તેઓનો આ તકે શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ એ ખુબજ હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.