(જીજ્ઞેશ પટેલ દ્વારા)
Manavadar
Manavadar શહેરના સ્થાનિક સ્મશાન ગૃહમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અંતિમ સંસ્કાર અને સ્મશાન યાત્રામાં આવતા ડાઘુઓને બેસવા માટે રાખવામાં આવેલી બેન્ચો પક્ષીઓના ચરકથી ખરડાયેલી અને અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. આ પવિત્ર જગ્યા પર એટલી હદે દુર્ગંધ ફેલાઈ ગઈ છે કે અહીં આવતા લોકોને શ્વાસ લેવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા સ્મશાન ગૃહની યોગ્ય સાફ-સફાઈ રાખવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તંત્રની આ ઘોર બેદરકારી વચ્ચે, સ્મશાન ગૃહની આવી દુર્દશા જોઈને માણાવદર બજરંગ દળના કાર્યકર્તાઓમાં સેવાનો ભાવ જાગ્યો છે. પવિત્ર ગણાતા આ સ્થળને ફરીથી સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવા માટે બજરંગ દળના તમામ કાર્યકર્તાઓએ એક થઈને ત્યાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું
બજરંગ દળના સભ્યો દ્વારા આયોજિત આ સફાઈ અભિયાન અંતર્ગત સ્મશાન ગૃહની તમામ બેન્ચોને પાણીથી ધોઈને સંપૂર્ણપણે ચમકાવવામાં આવી, જેથી ડાઘુઓને બેસવામાં કોઈ અગવડતા ન પડે. આ ઉપરાંત, આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને એક મોટું આગોતરું આયોજન પણ કરાયું છે. સ્મશાનના ખુલ્લા ગ્રાઉન્ડમાં પડેલા લાકડાઓ વરસાદના પાણીથી પલળી ન જાય અને અંતિમ સંસ્કાર સમયે લોકોને મુશ્કેલી ના પડે, તે માટે તે તમામ લાકડાઓને વ્યવસ્થિત રીતે ગોડાઉનની અંદર શિફ્ટ કરવામાં આવ્યા. બજરંગ દળના આ પ્રશંસનીય અને સેવાભાવી કાર્યને માણાવદરની જનતા તરફથી બિરદાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ નગરપાલિકા તંત્ર પોતાની જવાબદારીઓ ક્યારે સમજશે

