rajkot, તા.21
લોધીકાના છાપરા ગામે રહેતા ધો. 11ના વિદ્યાર્થી ધ્રુવિલ ભરતભાઈ વરૂ (ઉં. વ. 16)ના આપઘાત અંગે મોટાવડા હાઈસ્કૂલના બે શિક્ષિકા અને આચાર્ય સામે ગુનો નોંધાયો છે. આચાર્ય સચિનભાઈ વ્યાસ, શિક્ષિકા મોસમીબેન શાહ, વિભુતીબેન જોષીની અટકાયત કરવા મેટોડા પોલીસે તજવીજ હાથ ધરી છે. આરોપ છે કે, ધ્રુવિલનેં તું પેપર ઘરેથી કેમ લખીને લાવ્યો ? તેમ કહી પોલીસની ધમકી આપી, તેના પેપરમાં ચોકડા મારી, તારા ઉપર પોલીસ કેસ કરવાનો છે. તેવી ધમકી આપી મરવા માટે મજબુ2 કરતા ધ્રુવિલે સ્યુસાઇડ નોટ લખી પોતાના મોબાઇલમા બે અલગ અલગ વિડીયો બનાવી પોતાના ઘરના રૂમમાં છતના નકુચામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો.
મૃતકના પિતા ભરતભાઇ ડુંગરભાઈ વરૂ (ઉ.વ.35, રહે.છાપરા ગામ જુના ગામમાં તા. લોધીકા, જિ.રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પશુપાલનનો વ્યવસાય કરી મારા પરીવારનું ગુજરાન ચલાવુ છું. મારા પરીવારમાં મારા પત્ની જયાબેન તથા એક દિકરો નામે ધ્રુવિલ (ઉં. વ. 16) તથા એક દિકરી નામે શ્રુતી (ઉ.વ.13) છે. જે છાપરા પ્રાથમિક શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરે છે. નાનો દિકરો નામે સોહમ (ઉં.વ.9) જે મારા મોટાભાઈ રાજેશભાઈ ડુંગરભાઈ વરૂને દતક આપેલ છે. મારો દિકરો ધ્રુવિલ મોટાવડા ગામની માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળામાં ધોરણ-11 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો. જેને સ્કુલેથી આવવાં જવા માટે અમારા ગામનાં ભાણુભા ઝાલાની સ્કુલ વાન બંધાવેલ હતી.
વધુમાં ભરતભાઈએ જણાવ્યું કે, તા.19/10/2024 ના રોજ મારા દિકરા ધ્રુવિલને છ માસીક પરીક્ષા ચાલુ હોય સવારે સાત – સાડા સાત વાગ્યે સ્કુલે જવા માટે નીકળી ગયેલ હતો. અને હું સવારના નવેક વાગ્યે મારા માલઢોર ચરાવવા છાપરા ગામની સીમમાં ગયેલ હતો. ત્યારે બપોરના બે વાગ્યાનાં અરસામાં મારા દિકરા ધ્રુવિલનાં મોબાઇલમાંથી સોહમનો ફોન આવેલ કે, ધ્રુવિલને મજા નથી. તમે જલ્દી ઘરે આવો. જેથી હું મારા માલઢોર મારા નાના ભાઈ વિજયભાઈને સાચવવાનું કહી ઘરે આવેલ ત્યારે મારી પત્ની જયાબેન તથા પાડોશના ઘણા બધા લોકો મારા ઘરે હાજર હતા.
મારી પત્ની રડતી હતી. મે મારા તેને ધ્રુવિલ ક્યાં છે તે બાબતે પુછતા તેણે કહેલ કે, ધ્રુવિલે ગળેફાંસો ખાઇ લીધો છે. રાજેશભાઇ અને બીજા માણસો તેને દવાખાને લઇ ગયેલ છે. તેમ જણાવેલ અને મે ઘરમાં જોયેલ તો અમારા ઘરનાં પહેલા રૂમમાં ખુરશી અને તેની ઉપર ત્રણ ઓસીકા રાખેલ હતા. તથા છતનાં નકુચામાં ચુંદડી બાંધેલ હતી. જેથી મે મારી પત્નીને આશ્વાશન આપેલ કે, ધ્રુવિલને દવાખાને લઇ ગયેલ છે. તેને સારૂ થઇ જશે.
અને તે દરમ્યાન ધ્રુવિલના મોબાઇલમાં ચેક કરતા તેમા તેણે બે વીડિયો બનાવેલ હોવાનું જણાયેલ જેમાં પ્રથમ વીડિયોમાં તે બોલતો હતો કે, ” મમ્મીતુ ખુશ રેજે હંમેશા, પપ્પા તમે પણ ખુશ રેજો અને તો જ મારી આત્માને શાંતિ મળશે પપ્પા ખુશ રે જો તમે બધાય મારા ગયા પછી તમે કોઇ રોતા નહી નકર હું પણ દુ:ખી થઈ જઈશ તથા બીજા વિડીયોમાં તેના હાથમાં એક ચીઠી હતી અને રડતા રડતા બોલે છે કે, ” પત્ર રયોને મમ્મી એ મે જ લખ્યો હૈ મારા હાથેથી તમે બધાય એ પત્ર વાંચી લેજો અને મમ્મી માફ કરી દેજો મારી સાથે આજ સરે આવુ કર્યુ હું જો તારી સાથે નો હોત આજ મે આ પગલુ ન ભર્યું હોત તો પોલીસ મને લઇ જાત મમ્મી હું ત્યાં જેલમાં નો રય શકું તેવા વીડિયો હોય, તેમાં દેખાતી ચીઠ્ઠીની રૂમમાં તપાસ કરતા મળી આવેલ નહીં.આગળ ભરતભાઈએ જણાવ્યું કે, સાંજના આશરે સાતેક વાગ્યા બાદ મારા મોટાભાઇ રાજેશભાઈ અને ઘરનાં ભીજા સભ્યો ઘરે પરત આવેલ અને રડતા હોય શું થયુ છે.
અને ધ્રુવિલ ક્યાં છે ? તે બાબતે પુછતા રાજેશભાઇએ જણાવેલ કે, અમો રમેશભાઈ વરૂની ગાડીમાં ધ્રુવિલને દવાખાને લઇ જતા હતા ત્યારે દેવગામના પાટીયા પાસે 108 એમ્બ્યુલન્સ સામે મળતા ધ્રુવિલને 108 માં સરકારી હોસ્પીટલ લોધીકા ખાતે લઇ ગયેલ જ્યા ફરજપરના ડોકટરે ધ્રુવિલને મૃત જાહેર કરેલ હતો અને પોલીસે લાશનું પી.એમ. કરાવી લાશનો કબજો સોંપતા અંતીમ વિધી માટે અહી લાવેલ છીએ. ધ્રુવિલનાં પેન્ટનાં ખીસ્સા માંથી એક ચીઠ્ઠી મળેલ છે. જેમા લખેલ હતુ કે, મારા મોતનુ કારણ વાંચજો આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા. મમ્મી અને પપ્પા મારો કાઇ વાક નહોતો તોય મારી ટીચરએ મને મે સાબિત કરીને આપ્યુ કે પેપર મે ઘરે નથી લખ્યુ તો પણ તેને પોલીસની ધમકી આપી અને મારા પેપર ચોકડા માડ્યા અને આવુ પેલીવાર નથી.
કાલે મે ખુદે પેપર એના હાથમાં આપ્યુ હતુ તોય તે તેને મારા ઉપર પોલીસની ધમકી આપી તેને બી. એ. ના પેપરમાં મારૂ બધુ સાચુ લખાણ હતુ તો કોઇ ને ના કરે મારા એક ઉપજ તે ને કઇરુ મને મોઢે પ્રશ્ર્ન પુછયા અને તેને એકમકસોટીના પેપરમા પણ આવુજ કર્યું હતુ, અનુ ત્યા પણ મારી પાસે મોઢે પેપર લખાવ્યુ હતુ. અને મારી 25 માથી 23 માર્ક આવ્યા હતા. તો પણ મારી સાથે આજે પણ તે ને આવુ કર્યું. મમ્મી મે આજે આ પગલુ નાભર્યું હોત તો સોમવારે હુ પોલીસ સ્ટેશનમાં હોત. આને મારે આવુ પગલુ ભર્યું છે. જો મમ્મી સાચુ બોલુ છુ.
તારા હમખાયને હુ કવ છુ કે મે મમ્મી મે પેપર નથી. લખ્યુ મે સર ખુબજ સમજવાનો પ્રયત્ન કર્યો પણ તેને મારા ઉપર પોલીસ કેસ કરવાના છે તેથી મે આપગલુ ભર્યું. આમા સોલંકી સર મારે સાથે પણ મોસમીમેડમ અને સચીન સર અને વિભુતી મેડમ એ જ મારી સાથે આવુ કર્યુ. હાલ પોલીસે આચાર્ય અને બે શિક્ષિકા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.