Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched
    • નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી
    • જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું
    • Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો
    • Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર
    • તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી
    • Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા
    • યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Adya Shakti Tripura Sundari સાધકને ભોગ અને મોક્ષ બન્ને સમાન રીતે પ્રદાન કરે છે
    ધાર્મિક

    Adya Shakti Tripura Sundari સાધકને ભોગ અને મોક્ષ બન્ને સમાન રીતે પ્રદાન કરે છે

    Vikram RavalBy Vikram RavalOctober 23, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ત્રિપુર સુંદરી દસ મહાવિદ્યાઓ રૂપ દસ દેવીઓમાંથી એક છે. તેમને મહાત્રિપુર સુંદરી, ષોડશી, લલિતા, લીલાવતી, લલિતામ્બિકા, લલિતા ગૌરી, પમાક્ષી, રેણુકા અને રાજરાજેશ્વરી વગેરે નામથી પણ ઓળખાવાય છે. તે દસ મહાવિદ્યાઓમાં સર્વાધિક મહિમાવાન મુખ્ય દેવી છે. તેમનુ સ્વરૂપ અત્યંત સુંદરતમ છે. ત્રણે લોકમાં તેમના જેટલી સુંદર કોઇ દેવી કે સ્ત્રી નથી. એટલે જ તેમને ત્રિપુરસુંદરી નામથી ઓળખવામાં આવે છે. દેવી ભાગવત પુરાણમાં ત્રિપુરસુંદરીના ૩ રૂપ દર્શાવવામાં આવ્યા છે. તેમના બાલ રૂપને બાલા, કિશોરરૂપને ષોડશી અને યુવાન રૂપને લલિતા કહેવાય છે. તેમને મીનાક્ષી, કામાક્ષી, શતાક્ષી, કાનેશ્વરી નામથી પણ ઓળખવામાં આવે છે.

    દેવી ભાગવતમાં કહેવાયું છે કે તેમનું સ્વરૂપ સૌમ્ય છે, તેમનું હૃદય કૃપા ્ને કરૂણાથી ભરેલું કહે છે અને તે સદા સર્વદા વરદાન આપવા તત્પર રહે છે. એમનો અપરંપાર અને અવર્ણનીય છે. તંત્રશાસ્ત્રમાં તેમને પંચવક્ત્ર એટલે કે પાંચ મુખવાળા કહેવાયા છે. તેમના ચાર મુખ ચાર દિશાને જોનારા અને એક ઉપરની તરફ ઉઠેલું છે. તે ૧૬ કલાથી પરિપૂર્ણ છે. એટલે પણ તેમને ષોડશી કહેવાય છે. તે સોળ વર્ષની કિશોરી જેવું રૂપ ધારણ કરે છે તેને લીધે પણ ષોડશી કહેવાય છે.

    એકવાર પાર્વતીએ ભગવાન શિવજીને પૂછયું : ‘હે ભગવત્ , તમારા દ્વારા વર્ણિત તંત્ર સાધનાથી જીવના આધિ – વ્યાધિ – ઉપાધિ, શોક – સંતાપ – દુ:ખ, દીનતા – હીનતા વગેરે દૂર થઇ જાય છે પરંતુ ગર્ભવાસ, મરણ સમયનું દુ:ખ, જન્મ – મરણના ભવ ફેરામાંથી મુક્તિ સાથે મોક્ષ પદની પ્રાપ્તિનો કોઇ સરળ ઉપાય બતાવો. ત્યારે પાર્વતીની આ વિનંતીથી ભગવાન શિવે ત્રિપુર સુંદરી શ્રી વિદ્યા સાધના પ્રણાલીને પ્રકટ કરી હતી. ભૈરવ યામલ અને શક્તિલહરીમાં ત્રિપુરસુંદરી ઉપાસનાનું સવિસ્તાર વર્ણન પ્રાપ્ત થાય છે. દુર્વાસા મુનિ ત્રિપુરસુંદરીના પરમ ઉપાસક હતા. તે તેમની ઉપાસના શ્રીચક્રમાં કરતા. આદિ શંકરાચાર્યજીએ તેમના ગ્રંથ સૌંદર્યલહરીમાં ત્રિપુરસુંદરી રૂપ શ્રી વિદ્યાની ઉત્તમ સ્તુતિ કરી છે. એવું કહેવાય છે કે, ભગવતી ત્રિપુરસુંદરીના આશિષથી સાધકની સર્વ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. તેને ભોગ અને મોક્ષ બન્ને સહજ રીતે પ્રાપ્ત થઇ જાય છે. બીજી મહાવિદ્યાઓ રૂપ દેવીઓમાંથી કેટલીક ભોગ આપે છે તો કેટલીક મોક્ષ. પણ ત્રિપુરસુંદરી સમાન રૂપે બન્ને પ્રદાન કરે છે. તેમને ધન, ઐશ્વર્ય, ભોગ અને મોક્ષની અધિષ્ઠાત્રી દેવી કહેવાય છે.

    પૌરાણિક કથા પ્રમાણે દેવી સતીના પ્રાણત્યાગના શોકમાં ભગવાન શિવ ડૂબેલા રહેતા. ત્યારે સૃષ્ટિના હિત માટે દેવરાજ ઇન્દ્રએ કામદેવને શિવજીના ધ્યાન- સમાધિનો ભંગ કરી તેમના હૃદયમાં કામ, આકર્ષણ, પ્રેમ ઉત્પન્ન કરવા મોકલ્યો હતો. તેણે પુષ્પધન્વા ધનુષ્યથી પંચસાયક પાંચ બાણ છોડયા હતાં. તેનાથી શિવજીની સમાધિનો ભંગ થયો હતો અને તેમના મનમાં સહેજ વાર કામનો પ્રભાવ પડવાથી મન વિચલિત થયું હતું. આનું કારણ ખબર પડતાં તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મીભૂત કરી નાંખ્યો હતો. આ દરમિયાન શિવના એક ગણે કામદેવની ભસ્મમાંથી એક પુરુષ ઉત્પન્ન કર્યો હતો. તેનું નામ ભાંડ રાખવામાં આવ્યું હતું. શિવના ક્રોધમાંથી તે બનેલો હોવાને કારણે તેનામાં અસુરના ગુણો હતા. બધા તેને ભાંડાસુર કહેતા હતા. તેણે પોતાની આસુરી શક્તિઓથી સ્વર્ગના દેવો અને મનુષ્યો પર આત્યાચાર કરવાના શરૂ કરી દીધા. ત્યારે દેવરાજ ઇન્દ્ર નારદમુનિને એને પરાસ્ત કરવાનો ઉપાય પૂછયો હતો. તેમણે ઇન્દ્રને આદ્યા શક્તિની પૂજા કરવાનો રસ્તો બતાવ્યો હતો. ઇન્દ્રે નારદજીના બતાવ્યા પ્રમાણે આદ્યા શક્તિની આરાધના અને પૂજા કરી હતી. તેનાથી પ્રસન્ન થઇ આદ્યા શક્તિ દુર્ગાં દેવીએ ત્રિપુરાસુંદરી (ત્રિપુરસુંદરી)નું રૂપ ધારણ કરી ભાંડાસુરને માર્યો હતો અને દેવોને તેના ત્રાસમાંથી છૂટકારો અપાવ્યો હતો.

    એવું કહેવાય છે કે તાંત્રિક સિદ્ધિઓને માટે તે વખતથી ત્રિપુરાસુંદરીની આરાધના શરૂ થઇ હતી. ભગવાન શિવની નાભિ પર કમલપુષ્પ પર બેઠેલા ત્રિપુરાસુંદરીની સાચા હૃદયથી આરાધના કરવામાં આવે તો તે સાધકના આધિ-વ્યાધિ – ઉપાધિ દૂર કરી તેની બધી ભૌતિક અને આધ્યાત્મિક ઇચ્છાઓને પૂર્ણ કરે છે. માગસર મહિનાની પૂનમના રોજ ત્રિપુરસુંદરી દેવી જયંતી મનાવવામાં આવે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025
    ધાર્મિક

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    ધાર્મિક

    સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી

    June 10, 2025
    જામનગર

    Jamnagar: સનાતન સંસ્ક્રુતિમાં જેઠ પૂર્ણિમા પર વડપૂજનની સદીઓ જૂની પરંપરા

    June 10, 2025
    ધાર્મિક

    પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય

    June 9, 2025
    લેખ

    ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે

    June 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.