Rajkot તા.24
શહેરનાં લક્ષ્મીનો ઢોરો મફતિયાપરામાં રહેતાં લતાબેન વાઘેલા તેના ઘરે રસોઈ બનાવતા હતા ત્યારે હાર્ટ એટેક આવતા મોત નિપજયું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મીનો ઢોરો મફતિયાપરામાં રહેતાં લતાબેન વલ્લભભાઈ વાઘેલા (ઉ.વ.40) તેઓ ગઈકાલ રાત્રિના પોતાના ઘરે રસોઈ બનાવતા હતા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તાકિદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. તેઓ છ ભાઈ અને એક બહેનમાં ચોથા નંબરના હતા. અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.