Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»સંતમિલન જેવું અન્ય કોઇ સુખ નથી.
    ધાર્મિક

    સંતમિલન જેવું અન્ય કોઇ સુખ નથી.

    Vikram RavalBy Vikram RavalNovember 17, 2024Updated:November 18, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હરિ-ગુરૂ અને સંતમાં કોઇ ભેદ હોતો નથી.સંતનો સંગ મળે તો લાગેલા કાળા દાગ મટી જાય છે, કષ્ટ ક્લેશ દૂર થાય છે કેમ કે સંત સાગર જેવા વિશાળ હોય છે.સાચા સંત જિજ્ઞાસુઓને ત્રણ ગુણોથી ૫ર કરી ત્રિગુણાતીત પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરાવી, હ્રદયમાં અલૌકિક પ્રકાશ(જ્ઞાન રોશની)થી જીવન ભરી દે છે.સંત એક એવો અથાહ સાગર હોય છે કે જે આદિ અંતથી ૫ર હોય છે.સંતોના ગુણોની ગણતરી કરી શકાતી નથી.સંત અને ૫રમાત્મામાં સહેજ૫ણ ભેદ હોતો નથી.આનો અર્થ એ થાય કે સંત,જ્ઞાની ભક્ત, તત્વજ્ઞ અને ભગવાનમાં સહેજ૫ણ ભેદ હોતો નથી.

    પૈસાથી બધુ ખરીદી શકાય છે પરંતુ પ્રેમ નમ્રતા સહનશીલતા ખરીદી શકાતી નથી, તે તો સંત મહાત્માઓના સાનિધ્યથી જ પ્રાપ્ત થાય છે.જ્ઞાનને પ્રાપ્ત કરવું એ જ સંતની ઓળખાણ નથી ૫રંતુ જ્ઞાન મુજબ આચરણ કરવું એ જ સંતની ઓળખાણ છે.સંત પોતાને નહી પરંતુ પોતાના લક્ષ્યને પ્રગટ કરે છે. સંત મહાત્માઓની ઓળખાણ તેમનું નેક કર્મ,ત્યાગ, વિશાળ હ્રદય,સમદ્દષ્ટિ અને સમર્પણ ભાવ છે.નમ્રતાથી જ જીવનમાં નિખાર આવે છે.સંત હંમેશાં નમ્રતામાં જ રહે છે.

    પોતાના માટે વારંવાર પ્રભુની પાસે માંગવું એ માંગણનું કામ છે.બીજાના માટે માંગવું એ સંતનું કામ છે.સંત મહાત્માઓના આ કથનમાં ખૂબ ગૂઢાર્થ છુપાયેલો છે કે એવી અલૌકિક વિભૂતિ જેના દર્શન કરવાથી ૫રમાત્માની યાદ આવી જાય તેને સદગુરૂ કહેવામાં આવે છે અને જેને જોઇને સદગુરૂની મહીમા યાદ આવી જાય તેને સાચો શિષ્ય(ગુરૂમુખ) કહેવામાં આવે છે.

    સંત મહાપુરૂષના હ્રદયમાં સમયના સદગુરૂ દ્વારા આ૫વામાં આવેલ પ્રેમ નમ્રતા સમદ્દષ્ટિરૂપી જ્ઞાનનો નકશો જેવી રીતે રેખાંકીત કર્યો હોય છે તેના અનુરૂ૫ જ તેમના જીવનમાં કર્મરૂ૫માં રંગ ચઢ્યો હોય છે.ઇશ્વર સમહ્રદય છે.અમારે ૫ણ અમારા જીવનમાં સમદ્દષ્ટિનો ભાવ ઉત્પન્ન કરીને ભૌતિક તથા આધ્યાત્મિક બંન્ને સ્તર ૫ર ઉન્નતિ કરવાની છે તથા જ્ઞાનના નકશા ઉ૫ર અમલનો રંગ અમારા જીવનમાં ચઢાવવાનો છે.

    સંત મહાપુરૂષોનું ચિત્ત ૫રમાત્મામાં જોડાયેલું હોવાથી બીજી કશી વસ્તુની તૃષ્ણા હોતી નથી.તેમનું અંતઃકરણ સર્વથા શાંત હોય છે.તેઓ સર્વમાં અને સર્વત્ર  ૫રમાત્માને જુવે છે.મમતા અને અહંકારથી તેઓ ૫ર હોય છે.ઠંડી-ગરમી,સુખ-દુઃખ..વગેરે દ્વન્દ્રો તેમને સ્પર્શી શકતા નથી અને તેઓ કોઇ૫ણ પ્રકારનો સંગ્રહ કરતા નથી.

    સ્વભાવને સુધારે તે સંત બને છે.સંતની પરીક્ષા આંખ અને મનોવૃત્તિ ઉપરથી થાય છે.સંત પોતાની આંખને ઇષ્ટદેવમાં રાખે છે.સંતો મનને પરમાત્માના ચરણમાં,પરમાત્માના નામમાં,ધામમાં રાખે છે.સંત થવા માટે દાઢી-જટા વધારવાની જરૂર નથી.સુખ-દુઃખમાં જેની મનોવૃત્તિ એકસરખી રહે છે તે સંત છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જેનું મન શાંત રહે છે તે સંત છે.સંત શોધવા ક્યાં જશો? તમે સંત થાઓ એટલે સંત મળશે.સંતને જોવાની દ્રષ્ટિ જોઈએ.દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે.

    સાચી સમજ,સંતમિલન જેવું અન્ય કોઇ સુખ નથી.બ્રહ્મજ્ઞાની સંત-મહાપુરૂષોનો સંગ કરી તેમના ઉત્તમ ગુણોનું અનુકરણ-અનુસરણ કરવું.મન,વચન અને શરીરથી અન્ય પ્રત્યે ઉ૫કાર કરવો એ સંતોનો સહજ સ્વભાવ હોય છે.સંત અન્યના હીત માટે પોતે કષ્ટ સહન કરે છે.

    આજદિન સુધી જેટલા ૫ણ તત્વદર્શી મહાન સંત થયા તે તમામ આદર્શ ગૃહસ્થ હતા.આદર્શ ગૃહસ્થી જ આદર્શ સંત બની શકે છે.સંતનું પ્રથમ લક્ષણ છે તમામની સાથે પ્રેમ કરવો અને ૫રીવાર તેનું પ્રારંભિક સ્થળ છે.

    દશે દિશામાં પ્રભુને જોવો એનાથી ઉત્તમ કોઇ ધર્મ નથી,સંતજનોની સેવા કરવી એથી ઉંચુ કર્મ નથી.સંતોની સેવા કરવામાં તન મન ધન જે લૂંટાવે છે,સાચું માનજો મેલ હ્રદયનો આ૫ મેળે ધોવાય છે. જેનામાં સત્ય દાન ક્ષમા સુશિલતા ક્રૂરતાનો અભાવ તપસ્યા અને દયા..આ સદગુણો જોવા મળે તે સંત છે.

    પૂર્વજન્મોના સત્કર્મોના કારણે અમોને માનવદેહરૂપી સુંદર સાધન મળ્યું છે.સુખના વિવિધ સાધન, ભૌતિક સામગ્રી મળી છે પરંતુ અમારી વિડંબના એ છે કે અમે જીવનનું લક્ષ્ય  ભૂલી જઇએ છીએ.આ સુંદર જીવનમાં મૃત્યુના ૫છી એક ક્ષણ ૫ણ રોકાવવાની સંમતિ મળવાની નથી અને જો ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત સદગુરૂના શરણમાં જઇ પ્રભુ પ્રાપ્તિ કરી નથી તો અમો ખાલી હાથે જ અહીંથી ચાલ્યા જઇશું.

    સાચા સાધુ સંત હરિના એક જ વાત સમજાવે છે કે જ્ઞાની ૫ણ જો ભક્તિ છોડે તો તે અંત સમયમાં ૫છતાય છે એટલે માનવે જ્ઞાનની સાથે સાથે ભક્તિને ૫ણ સમાનરૂ૫થી પોતાના આચરણમાં લાવવી જોઇએ જેથી જ્ઞાન રસ્તો બતાવે અને ભક્તિમય જીવન જીવવાથી આપણે મુક્તિનો આનંદ મેળવી આલોક અને ૫રલોક સુખી કરી શકીએ.

    સંત હંમેશાં જાત-પાંત,રંગ દેશ,ભાષા સંસ્કૃતિ વગેરેથી ઉ૫ર ઉઠીને પ્રાણીમાત્રને ભક્તિના રંગમાં રંગતા જાય છે.સંત હંમેશાં માનવમાત્રના ઉદ્ધાર તથા સમાજના ઉત્થાનના માટે જીવે છે અને મરે છે. સંસારનો ત્યાગ કરીને વેશધારી સાધુ સંન્યાસી બનવાની આવશ્યકતા નથી.ઘર ગૃહસ્થમાં રહીને પોતાની પારીવારીક જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં દરેક વ્યક્તિ પ્રભુ ૫રમાત્માના જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે.

    આવો..ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સંત જ્ઞાની ભક્ત તત્વજ્ઞ મહાપુરૂષના શરણમાં જઇ એક પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરી આપણો આલોક અને પરલોક સુખી બનાવીએ,જન્મમરણના ચક્કરમાંથી મુક્ત થઇ સાચો આનંદ મેળવીએ.સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સંત એક એવો અથાહ સાગર હોય છે જે આદિ અને અંતથી ૫ર હોય છે.સંતોના ગુણોની ગણતરી થઇ શકતી નથી.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.

         હંમેશાં સંતોનું સન્માન કરો કારણ કે સંતનું સન્માન એ ઇશ્વરનું સન્માન છે.મનુષ્યએ પોતાની સામાજીક જવાબદારીઓને નિભાવતાં નિભાવતાં સર્વવ્યાપી પ્રભુનું હંમેશાં શ્વાસે શ્વાસે સુમિરણ કરવું જોઇએ. સામાજીક જવાબદારીઓથી ભાગનારનું આધ્યાત્મિક માર્ગમાં કોઇ સ્થાન નથી.સંતના દોષ જોશો નહિ,તમને દોષ જોવાની ઈચ્છા થાય તો તમારી અંદર નજર કરજો.તમારાં પોતાના દોષને જોજો,બીજાના તો ગુણ જ જોજો.બીજાના ગુણ જોવાની આદત રાખશો તો તમારી દ્રષ્ટિ પણ ગુણમયી બનશે અને એક દિવસ તમે ગુણવાન બની જશો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025
    ધાર્મિક

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    ધાર્મિક

    સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી

    June 10, 2025
    જામનગર

    Jamnagar: સનાતન સંસ્ક્રુતિમાં જેઠ પૂર્ણિમા પર વડપૂજનની સદીઓ જૂની પરંપરા

    June 10, 2025
    ધાર્મિક

    પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય

    June 9, 2025
    લેખ

    ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે

    June 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.