શનિદેવ કર્મોનું ફળ આપનાર દેવ કહેવામાં છે. તેઓ ન્યાયાધીશ છે, અને કોઈની સાથે અન્યાય નથી કરતા. મનુષ્ય જેવુ કર્મ કરે છે તેને તે પ્રમાણે ફળ આપે છે. શનિદેવ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને તમામ 12 રાશિઓનું ચક્ર પૂર્ણ કરવામાં લગભગ 30 વર્ષ લાગે છે. આવતા વર્ષે તેઓ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ પહેલેથી મૌજુદ છે. આવી સ્થિતિમાં બંનેની યુતિથી મહાવિનાશકારી પિશાચ યોગ બની રહ્યો છે. જેના કારણે ઘણા લોકોના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આવતા વર્ષે 29 માર્ચ, 2025 ના રોજ, તે રાત્રે 10.07 વાગ્યે મીન રાશિમાં ગોચર કરશે. અને તેની સાથે પિશાચ યોગ પણ શરૂ થશે. આ યોગ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે રાહુ પોતાની રાશિ બદલશે. ત્યાં સુધી 3 રાશિના જાતકોએ દુખ ભોગવવું પડશે. આવો જાણીએ કઈ રાશિ માટે આવતા વર્ષે સંકટ રહેવાનું છે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોએ આવતા વર્ષે માર્ચ પછી સાવધાન રહેવાની જરૂર છે. તેમના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. ઘરમાં નાના-મોટા વિવાદ શરૂ થઈ શકે છે. ભાગીદારીમાં કરેલા ધંધામાં અણબનાવ થવાની સંભાવના રહેશે. ધીરજ રાખો અને બિનજરૂરી ખર્ચ ન કરો. કોઈપણ નવું રોકાણ કરવાનું ટાળો. ધીરે ધીરે આ ખરાબ સમય પણ પસાર થશે.
મકર રાશિ
મહાપિશાચ યોગ બન્યા બાદ સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહેલી છે. તેથી બહારનો ખોરાક લેવાનું
ટાળવું જોઈએ. ઘરે બનાવેલો તાજો ખોરાક લેવાનું સલાહ આપવામાં આવે છે. ભાઈ-બહેન કે પડોશીઓ સાથેના સંબંધો બગડી શકે છે. મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરુર છે. અકસ્માત થવાની સંભાવના છે. પૈસાનો ખર્ચ થવાની સંભાવના રહેલી છે એટલે સાવધાનીપૂર્વક ખર્ચ કરો.
મીન રાશિ
શનિ અને રાહુની યુતિના કારણે આ રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ રહેવાની શક્યતા રહેલી છે. તમે થાક અનુભવશો અને માનસિક તણાવ પણ તમને ઘેરી શકે છે. વેપારમાં તમને નુકસાન થઈ શકે છે. સહકર્મીઓ સાથેના સંબંધો બગડી શકે છે. તમારા પર દેવું પણ વધી શકે છે.