Rajkotતા.૩૦
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા સાબરમતી, સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનોઃ
૧) ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૩૦.૧૧.૨૦૨૪ અને ૦૧.૧૨.૨૦૨૪ ના રોજ રદ રહેશે.
૨) ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૦૧.૧૨.૨૦૨૪ અને ૦૨.૧૨.૨૦૨૪ ના રોજ રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોઃ
૧) ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે ૦૧.૧૨.૨૦૨૪ અને ૦૨.૧૨.૨૦૨૪ ના રોજ આંશિક રીતે રદ રહેશે.
૨) ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ વચ્ચે ૩૦.૧૧.૨૦૨૪ અને ૦૧.૧૨.૨૦૨૪ ના રોજ આંશિક રીતે રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનોઃ
૧) ટ્રેન નંબર ૨૨૯૫૭ ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૦૧.૧૨.૨૦૨૪ ના રોજ, તેના નિર્ધારિત રૂટ વાયા ગાંધીનગર કેપિટલ-ચાંદલોડિયા-વિરમગામ ને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગાંધીનગર કેપિટલ-મહેસાણા-વિરમગામ થઈને દોડશે.