New Delhi,તા.02
ભારતીય ટી-20 ટીમનાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ 3 ડિસેમ્બરે આંધ્ર વિરુદ્ધ મુંબઈની સૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચમાં પરત ફરશે. તેઓ એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બે અઠવાડિયાનો વિરામ લઈને પરત ફરશે. તે કદાચ આ મેચમાં સુકાની નહીં કરે અને શ્રેયસ અય્યર કમાન સંભાળશે.
સૂર્યકુમારના નેતૃત્વમાં ભારતે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાને 3-1 થી હરાવીને શ્રેણી જીતી હતી. તે આંધ્ર સામેની આગામી મેચ માટે સોમવારે હૈદરાબાદમાં મુંબઈની ટીમ સાથે જોડાશે.
તેને શ્રેયસની કેપ્ટનશીપમાં રમવામાં કોઈ મુશ્કેલી નથી. તે મુંબઈ માટે દરેક ફોર્મેટમાં રમવા માંગે છે. મુશ્તાક અલીની બાકીની મેચો બાદ તે 21 ડિસેમ્બરથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં પણ ભાગ લેશે.