Mumbai, તા.૬
દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરના બે પ્રખ્યાત શિષ્યો સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી ગઈકાલે એટલે કે મુંબઈમાં તેમના જન્મદિવસ પર તેમના કોચના સ્મારકના અનાવરણ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન તેંડુલકર અને કાંબલીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા છે. બેસ્ટ ળેન્ડ વિનોદ કાંબલીની હાલત જોઈને સચિન તેંડુલકર હેરાન રહી ગયો હતો. આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયમાં વાઇરલ થયો છે.સચિન સ્ટેજ પર આવતાની સાથે જ કાંબલીની આવી નબળી હાલત જોઈને હેરાન અને આશ્ચર્યચકિત થઈ જાય છે. તેંડુલકર તેની પાસે ગયો અને થોડીવાર વાત કરી. આ પછી સચિન જ્યારે પોતાની સીટ પર બેસવા ગયો, ત્યારે કાંબલી તેનો હાથ છોડતો નહોતો. મુંબઈના બન્ને સ્ટાર્સનો એકસાથે આવતા વીડિયો ફરી વાઇરલ થયો હતો, પરંતુ પ્રશંસકો પોતાને એ વિચારવાથી રોકી શક્યા નહોતા કે વિનોદ કાંબલીની તબિયત સારી છે કે નહીં.વીડિયોમાં કાંબલી એકદમ બીમાર દેખાઇ રહ્યો છે. તેની હાલત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયો પર એવી કમેન્ટ કરવામાં આવી હતી કે, ૈંઁન્ કાંબલીના સમયમાં પણ થવી જોઈતી હતી. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, તેંડુલકર કાંબલી પાસે પહોંચે છે અને બંને હાથ મિલાવે છે.વિનોદ કાંબલી લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. તેણે ભૂતકાળમાં હૃદયની સમસ્યાઓ અને ડિપ્રેશન સામે લડવા વિશે ખુલીને વાત કરી છે. તેને દરરોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ૨૦૧૦ના દાયકાની શરૂઆતમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પછી તેમની સ્થિતિમાં સુધારો થયો. ૨૦૧૩માં ચેમ્બુરથી બાંદ્રા જતી વખતે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારે તેને તાત્કાલિક મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અગાઉ વર્ષ ૨૦૧૨માં તેમની બે બ્લોકેજ ધમનીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.કાંબલીની કારકિર્દીમાં શાનદાર શરૂઆત બાદ ૧૦૪ર્ ંડ્ઢૈં મેચ સિવાય માત્ર ૧૭ ટેસ્ટ રમી હતી. જેમાં ટેસ્ટમાં બે બેવડી સદીનો સમાવેશ થાય છે. તેણે રેડ બોલ ફોર્મેટમાં ૧૦૮૪ રન બનાવ્યા હતા. વન-ડેમાં તેણે બે સદી સહિત ૨૪૭૭ રન બનાવ્યા હતા.