Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હવામાનની અસામાન્ય ઘટના : ચોમાસુ `હિમાલય’ને પાર કરી Tibet પહોંચ્યું

    September 15, 2025

    એ લોકોના ધર્મોમાં મહિલાને baby, Bibi કહે છે હિન્દુ ધર્મમાં દેવી કહેવામાં આવે છે: રામભદ્રાચાર્ય

    September 15, 2025

    Waqf Bill પર સ્ટેનો સુપ્રિમનો ઈન્કાર : ત્રણ જોગવાઈઓ સ્થગીત

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હવામાનની અસામાન્ય ઘટના : ચોમાસુ `હિમાલય’ને પાર કરી Tibet પહોંચ્યું
    • એ લોકોના ધર્મોમાં મહિલાને baby, Bibi કહે છે હિન્દુ ધર્મમાં દેવી કહેવામાં આવે છે: રામભદ્રાચાર્ય
    • Waqf Bill પર સ્ટેનો સુપ્રિમનો ઈન્કાર : ત્રણ જોગવાઈઓ સ્થગીત
    • Mukesh Ambani એ મેનહટન (ન્યુયોર્ક)માં રૂ।.154 કરોડનું ભવ્ય મકાન ખરીદ્યું
    • 100 ટકા ટેરિફથી દબાણ વધશે, યુદ્ધ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી : China
    • Housing Loan કરતા સોના પરના ધિરાણની માંગ વધી
    • UPI મારફત હવે રોજ રૂા. 10 લાખની ખરીદી કરી શકાશે
    • આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Mahadevji ના અવતારો
    ધાર્મિક

    Mahadevji ના અવતારો

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહાદેવજીનું સ્વરૂપ નિર્ગુણ, નિરંજન, નિરાકાર અને નિર્લેપ છે. ભગવાન સાદશિવે પણ ભક્તોના કલ્યાણ માટે અવતાર ધારણ કર્યાં છે. વિષ્ણુ ભગવાનના ૨૪ અવતાર છે. તો મહાદેવજીના ૧૦૦ અવતારો છે. જેનું નિરૂપણ શિવ મહાપુરાણની શતરુદ્ર સંહિતામાં છે. કેટલાંક અવતારો વિશે જો ચર્ચા કરીએ તો દરેક કલ્પમાં ભગવાન સદાશિવના અવતાર થયાં છે.

    જ્યારે ૧૯મો શ્વેત લોહિત નામનો કલ્પ આવ્યો તે સમયે બ્રહ્માજીના મનમાં ચિંતા થઈ કે હું આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરીશ ? બ્રહ્માજીએ ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું. બ્રહ્માજીની ચિંતાનું  નિવારણ કરવા માટે મહાદેવજી સદ્યોજાત સ્વરૂપે પ્રગટ થયાં. આ સ્વરૂપમાં મહાદેવજીએ સફેદ વસ્ત્રો પરિધાન કર્યાં હતાં. નંદન, સુનંદન, વિશ્વનંદન અને ઉપનંદન સાથે મહાદેવજીએ બ્રહ્માજીને જ્ઞાાનોપદેશ કર્યો. મહાદેવજીના જ્ઞાાનથી જ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું.

    close
    arrow_forward_iosSee more

    00:00
    01:02
    01:03

    Powered by GliaStudio

    ૨૦મો રક્ત નામનો કલ્પ થયો જેમાં બ્રહ્માજીનો વર્ણ પણ લાલ હતો. એમણે ભગવાન શિવજીનું ધ્યાન ધર્યું. તે સમયે મહાદેવજી વામદેવ સ્વરૂપે પ્રગટ થયાં. આ અવતારમાં મહાદેવજીએ લાલ વસ્ત્રો પરિધાન કર્યાં હતાં. લાલ માળા પહેરી હતી. બ્રહ્માજીને જ્ઞાાન આપી શ્રૃષ્ટિના સર્જન માટે પ્રેરિત કર્યાં. વિરજ, વિવાહ, ત્રિશોક અને વિશ્વભાવન સાથે વામદેવ અવાતરે સૃષ્ટિ સંબંધિત બ્રહ્માજીને જ્ઞાાન આપ્યું.

    ૨૧મો કલ્પ એ પિતવાસસ નામનો હતો જેમાં બ્રહ્માજીએ પીળાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં. ત્યારે મહાદેવજી પણ પિતાંબર ધારી બન્યા. ભોળાનાથના આ સ્વરૂપના દર્શન કરી બ્રહ્માજી પરમ પ્રસન્ન થયાં અને તેમના મુખારવિંદમાંથી શિવ ગાયત્રી પ્રગટ થઈ. ઓમ તત્પુરુષાય વિદમહે, મહાદેવાય ધિમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત્ આ મહાદેવજીની ગાયત્રી છે. શિવ ગાયત્રીના અનુષ્ઠાનથી મહાદેવજી પ્રસન્ન થાય છે. આ મહાદેવજીનો તત્પુરુષ નામનો અવતાર છે.

    એ પછી શિવ નામનો કલ્પ આવ્યો. જ્યારે બ્રહ્માજીએ જોયું કે ચારેય બાજુ જળ-જળ જ છે તે સમયે બ્રહ્માજીએ ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું. ત્યારે મહાદેવજી અઘોર સ્વરૂપે પ્રગટ થયાં. અઘોર અવતારમાં મહાદેવજીએ કાળાં વસ્ત્રો પરિધાન કર્યાં હતાં. કૃષ્ણ, કૃષ્ણશિખ, કૃષ્ણાસ્ય અને કૃષ્ણકંઠ આ ચાર શિષ્યોની સાથે બ્રહ્માજીને જ્ઞાાનોપદેશ મહાદેવજીએ કર્યો.

    ત્યાર પછી વિશ્વરૂપ નામનો કલ્પ થયો. જ્યારે બ્રહ્માજીએ મહાદેવજીનું સ્મરણ કર્યું ત્યારે સાક્ષાત્ વિશ્વરૂપા સરસ્વતી માતાજી પ્રગટ થયાં અને મહાદેવજી ઈશાન રૂપે પ્રગટ થઈ બ્રહ્માજીને જ્ઞાાન આપ્યું. તે સમયે મહાદેવજીના ચાર શિષ્યો હતાં. જતી, મુંડી, શિખંડી અને યતિ. આ ચાર શિષ્યો એ યોગ માર્ગના સ્થાપકો થયાં. જેમણે યોગ માર્ગનો પ્રચાર-પ્રસાર કર્યો.

    મહાદેવજીના અવતારોમાં આ પાંચ અવતાર એ પ્રધાન છે. જેમાં બ્રહ્માજીને જ્ઞાાન શિવજીએ આપ્યું. બ્રહ્માજી જ્યારે શ્રૃષ્ટિનું સર્જન કરતાં હતાં ત્યારે શ્રૃષ્ટિ આગળ નહોતી વઘતી. ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું ત્યારે મહાદેવજી અર્ધનારેશ્વર સ્વરૂપે પ્રગટ થયાં. બ્રહ્માજીને જ્ઞાાન આપતાં કહ્યું કે, તમે મૈથુની શ્રૃષ્ટિનું સર્જન કરો. અર્થાત સ્ત્રી અને પુરુષ વાળી શ્રૃષ્ટિ. જ્યારે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ વ્યાસ બનીને આવતાં હતાં ત્યારે મહાદેવજી ભગવાન વેદવ્યાસજીને માર્ગદર્શન આપવા માટે યોગેશ્વર બનીને આવતાં હતાં. એવા ૨૮ અવતાર યોગેશ્વર સ્વરૂપે છે.

    ત્યાર પછી મહાદેવજી મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયાં. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંન્દ્ર અને આત્મા આ ભગવાન સદાશિવના જ સ્વરૂપો છે. મહાદેવજી વૈશ્વાનર સ્વરૂપે પ્રગટ થયાં. ત્યાર પછી મહાદેવજીનો નંદીશ્વર નામનો અવતાર થયો. જે અજર-અમર કહેવાયાં. મહાદેવજીના જે ગણ છે નંદીશ્વર તે સાક્ષાત શિવજીનું જ સ્વરૂપ છે.

    દક્ષ યજ્ઞાનો ધ્વંશ કરવા મહાદેવજી વિરભદ્ર સ્વરૂપે પ્રગટ થયાં. અર્થાત્ ભગવાન શિવજીએ જ દક્ષ યજ્ઞાનો નાશ કર્યો. નરસિંહ અવતારની પૂર્ણાહૂતિ કરવા માટે મહાદેવજીએ સલ્ભ નામનો અવતાર લીધો. શિવ મહાપુરાણમાં સો અવતારોનું વર્ણન છે. જેમાં કેટલાંક અવતારોની ચર્ચા આપણે કરી. આ બધા અવતારો સનાતન ધર્મના સ્થાપક છે. સનાતન ધર્મના જો કોઈ આદિ દેવ હોય તો તે ભગવાન સદાશિવ છે. એ ભગવાન સદાશિવની કૃપા આપણી ઉપર રહે, આપણે શિવ પરાયણ બનીએ, શિવમય થઈએ એ જ અભ્યર્થના સાથે…અસ્તુ !

     

    Avatars of Mahadevji
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નવરાત્રી દરમિયાન, ભક્તો ૯ દિવસ માટે મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે

    September 13, 2025
    લેખ

    પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ શાસ્ત્રોક્ત નિષ્કામભાવપૂર્વક કરવું જોઇએ.

    September 11, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ

    September 11, 2025
    ધાર્મિક

    પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે

    September 10, 2025
    ધાર્મિક

    પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે?

    September 10, 2025
    ધાર્મિક

    Pitru Paksha ૦૭ થી ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫

    September 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હવામાનની અસામાન્ય ઘટના : ચોમાસુ `હિમાલય’ને પાર કરી Tibet પહોંચ્યું

    September 15, 2025

    એ લોકોના ધર્મોમાં મહિલાને baby, Bibi કહે છે હિન્દુ ધર્મમાં દેવી કહેવામાં આવે છે: રામભદ્રાચાર્ય

    September 15, 2025

    Waqf Bill પર સ્ટેનો સુપ્રિમનો ઈન્કાર : ત્રણ જોગવાઈઓ સ્થગીત

    September 15, 2025

    Mukesh Ambani એ મેનહટન (ન્યુયોર્ક)માં રૂ।.154 કરોડનું ભવ્ય મકાન ખરીદ્યું

    September 15, 2025

    100 ટકા ટેરિફથી દબાણ વધશે, યુદ્ધ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી : China

    September 15, 2025

    Housing Loan કરતા સોના પરના ધિરાણની માંગ વધી

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હવામાનની અસામાન્ય ઘટના : ચોમાસુ `હિમાલય’ને પાર કરી Tibet પહોંચ્યું

    September 15, 2025

    એ લોકોના ધર્મોમાં મહિલાને baby, Bibi કહે છે હિન્દુ ધર્મમાં દેવી કહેવામાં આવે છે: રામભદ્રાચાર્ય

    September 15, 2025

    Waqf Bill પર સ્ટેનો સુપ્રિમનો ઈન્કાર : ત્રણ જોગવાઈઓ સ્થગીત

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.