Rajkot, તા.5
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાના પટેલ સમાજના ‘ટપોરી ગેંગ’ જેવા વિધાનો સામે કોઇ ટીપ્પણી કરવાનો ઇન્કાર કરીને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે વિવાદમાં આપવાનું ટાળ્યું હતું.
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ આજે એક કાર્યક્રમમાં હાજર હતા ત્યારે પત્રકારો દ્વારા જયેશ રાદડીયાના વિધાનો-આરોપ સંબંધી સવાલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ ‘નો-કોમેન્ટ’ કરીને જવાબ ટાળી દીધો હતો અને સ્થળ પરથી નીકળી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામકંડોરણા ખાતે લેઉવા પટેલ સમાજના સમૂહલગ્ન કાર્યક્રમમાં જયેશ રાદડીયાએ સમાજના બે ટકા ટપોરીઓ હવનમાં હાડકા નાખતા હોવા સહિતના ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા.
સમાજના નામે રાજકારણ કરવાના બદલે ખુલ્લામાં આવી જવાનો પડકાર પણ ફેંક્યો હતો. તેમનો ઇશારો ખોડલધામ ચેરમેન નરેશ પટેલ તરફ હોવાની ચર્ચા છેડાઇ હતી તેને પગલે સમાજમાં જ સમર્થન અને વિરુધ્ધમાં તીવ્ર પ્રત્યાઘાતો શરુ થયા હતા.