Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tehreek-e-Taliban પાકિસ્તાને આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી, તિરાહ ખીણ પર મહત્વપૂર્ણ ચર્ચા

    November 4, 2025

    New York City માં મેયરની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી , ઝોહરાન મમદાની આગળ

    November 4, 2025

    Renuka Swamy Murder Case માં દક્ષિણ અભિનેતા દર્શન સામે આરોપો ઘડવામાં આવ્યા

    November 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tehreek-e-Taliban પાકિસ્તાને આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી, તિરાહ ખીણ પર મહત્વપૂર્ણ ચર્ચા
    • New York City માં મેયરની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી , ઝોહરાન મમદાની આગળ
    • Renuka Swamy Murder Case માં દક્ષિણ અભિનેતા દર્શન સામે આરોપો ઘડવામાં આવ્યા
    • Celina Jaitley, જે ૧૪ વર્ષથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે, બાળપણમાં દુર્વ્યવહારનો ભોગ બની હતી
    • Govinda સાથેના મારા સંબંધોમાં કોઈ તિરાડ નથી,પત્ની સુનિતા આહુજા
    • Women’s World Cup 2025 માં પાકિસ્તાન એક પણ મેચ જીતી શક્યું નહીં, હવે મુખ્ય કોચથી અલગ થઈ રહ્યું છે
    • રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ ટુર્નામેન્ટમાં રમવા માટે Jitesh Sharma ને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    • New Zealand and West Indies વચ્ચેની પાંચ મેચની ટી ૨૦ શ્રેણી ૫ નવેમ્બરથી શરૂ થવાની છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Delhi માં ૨૭ વર્ષ પછી કમળ ખીલ્યું,આપ સત્તામાંથી બહાર
    મુખ્ય સમાચાર

    Delhi માં ૨૭ વર્ષ પછી કમળ ખીલ્યું,આપ સત્તામાંથી બહાર

    Vikram RavalBy Vikram RavalFebruary 8, 2025Updated:February 8, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેજરીવાલ,સિસોદિયા સહિતના નેતાઓનો પરાજય

    New Delhi,તા.૮

    દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ અરવિંદ કેજરીવાલની પાર્ટીને હરાવી. ૨૦૧૨ના આંદોલનમાંથી ઉભરી આવેલી આમ આદમી પાર્ટી પહેલીવાર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી હારી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી ભાષણોમાં કેજરીવાલની પાર્ટીને ’આપ-દા’ તરીકે સંબોધિત કરી હતી. આમ આદમી પાર્ટી દિલ્હીના લોકો માટે ખતરો હોવાનું કહેવાય છે. હવે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ૨૭ વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પરત ફરવા જઈ રહી છે.દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકોમાંથી ભાજપને ૪૮ બેઠકો મળી છે.જયારે આપને ૨૨ બેઠકો મળી છે જયારે સતત ત્રીજીવાર કોંગ્રેસ પોતાનું ખાતુ ખોલાવી શકી નથી.કોંગ્રેસ મોટાભાગની બેઠકો પર ત્રીજા સ્થાને રહી અને આમ આદમી પાર્ટીને સીધું નુકસાન પહોંચાડ્યું

    ચૂંટણી પરિણામોમાં, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન અને સૌરભ ભારદ્વાજ સહિત શાસક પક્ષના ઘણા અન્ય અગ્રણી નેતાઓ ચૂંટણી હારી ગયા છે.મુખ્યમંત્રી આતિશી પહેલા પાછળ ચાલી રહ્યાં હતાં પરંતુ બાદમાં તેમનીે વિજય થયો હતો   .ભાજપના પરવેશ સાહિબ સિંહે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ૪૦૮૯ મતોથી ચૂંટણી જીતી હતી. તેમણે આપના અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. પ્રવેશને કુલ ૩૦૦૮૮ મત મળ્યા જ્યારે કેજરીવાલને ૨૫૯૯૯ મત મળ્યા. કોંગ્રેસના સંદીપ દીક્ષિત ત્રીજા સ્થાને રહ્યા. તેમને ૪૫૬૮ મત મળ્યા. સંદીપ દીક્ષિતે ટ્‌વીટ કરીને પોતાની શરમજનક હાર સ્વીકારી લીધી છે. કેજરીવાલે હાર સ્વીકારતો એક વીડિયો પણ જાહેર કર્યો છે.દિલ્હીમાં ૫ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં, ૧.૫૫ કરોડ લાયક મતદારોમાંથી ૬૦.૫૪ ટકા લોકોએ મતદાન કર્યું હતું.

    પરિણામોથી એ સ્પષ્ટ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વધુ પડતા આત્મવિશ્વાસને કારણે તેમનું પતન થયું. કોંગ્રેસે એકલા હાથે દિલ્હી જીતવાનું નક્કી કર્યું હતું અને શૂન્ય બેઠક મળી. બીજી તરફ, કેજરીવાલની ટીમને આશા હતી કે તેમનો જાદુ કામ કરશે અને તેથી બંને પક્ષો તરફથી ગઠબંધન બનાવવા માટે કોઈ ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા ન હતા.કોંગ્રેસ અને આપ બંને ભાજપની રણનીતિ સમજી શક્યા નથી. જો લોકસભા ચૂંટણી પછી બનેલ ઇન્ડિયા એલાયન્સનું વાતાવરણ વિધાનસભા ચૂંટણીમાં પણ ચાલુ રહ્યું હોત, તો કદાચ દિલ્હીમાં આપ અને કોંગ્રેસને આટલું નુકસાન ન થયું હોત.

    આ ભાજપની તરફેણમાં ગયું. દિલ્હીના પરિણામોથી એ પણ સ્પષ્ટ થાય છે કે મુસ્લિમ મત મોટા પાયે વહેંચાયેલા છે. મુસ્લિમોનો એક વર્ગ જે પહેલાથી જ કોંગ્રેસથી નિરાશ હતો અને હવે આપથી દૂર થઈ ગયો છે તે પણ ભાજપમાં જોડાઈ ગયો છે. મૌલાના રશીદીએ પહેલેથી જ કહ્યું હતું કે, કોંગ્રેસે મુસ્લિમોને શું આપ્યું છે?

    ચુંટણીમાં પરાજય બાદ અરવિંદ કેજરીવાલે નિવેદનમાં ભાજપને જીત માટે અભિનંદન આપ્યા હતાં અને જનાદેશ સ્વીકાર્યો હતાં આ સાથે દિલ્હીના લોકોની અપેક્ષાપૂર્ણ થવાની આશા વ્યકત કરી હતી.તેમણે એમ પણ કહ્યું હતું કે જયારે જનતાએ તેમને ૧૦ વર્ષ માટે સત્તા આપી ત્યારે તેમણે દિલ્હીના લોકોના જીવનને સુધારવા માટે ધણુ કામ કર્યું છે હવે જયારે તેમને વિપક્ષની જવાબદારી મળી છે તો તેઓ તેને સારી રીતે નિભાવશે તેમણે કહ્યું હતું કે તેઓ સત્તા માટે રાજકારણમાં આવ્યા નથી તેમનો પક્ષ માને છે કે રાજકારણ સેવાનું સાધન છે અને આપ સત્તાથી દુર રહીને પણ લોકોની સેવા કરી શકે છે કેજરીવાલે પાર્ટીના કાર્યકરોને અભિનદન આપતા કહ્યું હતું કે તમે ખુબ સારી ચુંટણી લડી આ સમયગાળા દરમિયાન તમારે ધણુ સહન કરવું પડયું  પરંતુ તમે સંપૂર્ણ મહેનત સાથે સારી ચુંટણી લડી આ માટે અભિનંદન

    દિલ્હીમાં ભાજપની જીતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપની જીતને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. પીએમ મોદીએ કહ્યું કે માનવશક્તિ સર્વોચ્ચ છે. આ વિકાસ અને સુશાસનનો વિજય છે. દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને ઐતિહાસિક વિજય અપાવવા બદલ મારા સલામ અને અભિનંદન. તમે મને આપેલા પુષ્કળ આશીર્વાદ અને પ્રેમ માટે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું.

    પીએમ મોદીએ ટ્‌વીટ કર્યું કે તેમની પાર્ટીની સરકાર દિલ્હીના સર્વાંગી વિકાસ અને અહીંના લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મને દરેક ભાજપ કાર્યકર્તા પર ગર્વ છે જેમણે ખૂબ જ મહેનત કરી છે અને આ અદ્ભુત પરિણામ સુધી પહોંચ્યા છે. અમે વધુ ઉત્સાહ સાથે કામ કરીશું અને દિલ્હીના અદ્ભુત લોકોની સેવા કરીશું.

    પ્રધાનમંત્રી મોદીએ લોકોને ખાતરી આપી હતી કે અમે દિલ્હીના સર્વાંગી વિકાસ અને અહીંના લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે કોઈ કસર છોડીશું નહીં. આ અમારી ગેરંટી છે. આ સાથે, અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે દિલ્હી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. પીએમએ કહ્યું કે મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે જેમણે આ વિશાળ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી. હવે અમે અમારા દિલ્હીવાસીઓની સેવા વધુ મજબૂતીથી કરવા માટે સમર્પિત રહીશું.દિલ્હી સહિતના રાજયોમાં ભાજપના કાર્યકરોએ જીત પણ ઉજવણી કરી હતી અને ફટાકડા ફોડયા હતાં મીઠાઇ વહેંચી હતી

    AAP Arvind Kejriwal BJP Delhielection Modi Narendra Modi New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Tehreek-e-Taliban પાકિસ્તાને આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી, તિરાહ ખીણ પર મહત્વપૂર્ણ ચર્ચા

    November 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    New York City માં મેયરની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી , ઝોહરાન મમદાની આગળ

    November 4, 2025
    ગુજરાત

    દિવાળી બાદ Income Tax નું પ્રથમ દરોડા ઓપરેશન : જમીનના બે ધંધાર્થી ગ્રુપ ઝપટે

    November 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Poor Pakistan ફરી ઉઘાડુ પડયુ : એરલાઈન્સને તાળાબંધી : વિમાની સેવા ઠપ્પ

    November 4, 2025
    રાષ્ટ્રીય

    Punjab-Haryana માં વરસાદની આગાહી: પહાડી રાજયોમાં બરફ વર્ષા,ઠંડી વધશે

    November 4, 2025
    રાષ્ટ્રીય

    ITએ Vodafone સામેનો રૂા.8500 કરોડનો કેસ પડતો મુકયો : સુપ્રીમે પણ રાહત આપી

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Tehreek-e-Taliban પાકિસ્તાને આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી, તિરાહ ખીણ પર મહત્વપૂર્ણ ચર્ચા

    November 4, 2025

    New York City માં મેયરની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી , ઝોહરાન મમદાની આગળ

    November 4, 2025

    Renuka Swamy Murder Case માં દક્ષિણ અભિનેતા દર્શન સામે આરોપો ઘડવામાં આવ્યા

    November 4, 2025

    Celina Jaitley, જે ૧૪ વર્ષથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે, બાળપણમાં દુર્વ્યવહારનો ભોગ બની હતી

    November 4, 2025

    Govinda સાથેના મારા સંબંધોમાં કોઈ તિરાડ નથી,પત્ની સુનિતા આહુજા

    November 4, 2025

    Women’s World Cup 2025 માં પાકિસ્તાન એક પણ મેચ જીતી શક્યું નહીં, હવે મુખ્ય કોચથી અલગ થઈ રહ્યું છે

    November 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tehreek-e-Taliban પાકિસ્તાને આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી, તિરાહ ખીણ પર મહત્વપૂર્ણ ચર્ચા

    November 4, 2025

    New York City માં મેયરની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી , ઝોહરાન મમદાની આગળ

    November 4, 2025

    Renuka Swamy Murder Case માં દક્ષિણ અભિનેતા દર્શન સામે આરોપો ઘડવામાં આવ્યા

    November 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.