અગામી તા.12 બુધવારના રોજ વિક્રમ સંવત 2081માં મહા સુદ પૂર્ણિમા આવી રહી છે. આ પૂર્ણિમાએ ઉત્તમ તીર્થ સ્થળે માધ સ્નાન અને દાન કરવાની પરંપરા છે. આ કારણોસર, ઘણા ભક્તો આ દિવસે સ્નાન કરવા માટે ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી નદીઓમાં પહોંચશે. હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, માઘી પૂર્ણિમાના દિવસે કરોડો ભક્તો અહીં સંગમમાં સ્નાન કરશે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેના પૂર્ણ તેજમાં દેખાય છે. આ દિવસે ચંદ્રોદય પછી ચંદ્રની પૂજા કરવામાં આવે છે.
પદ્મ પુરાણમાં સમજાવ્યું છે સ્નાન કરવાનું વિશેષ મહત્વ જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, હાલમાં પ્રયાગરાજમાં મહા કુંભ (12×12)=144 વર્ષ બાદ યોજાયેલ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી અર્ગ આપવાથી જન્મો જન્મના પાપો નાશ પામે છે, સાથો-સાથ અંત્યત લાંબા સમયથી પીડિત ચામડીના દર્દીઓએ માટે બિમારીમાંથી રાહત કે મુક્તિ અવશ્ય મળે છે. આ સ્નાન કરવાનું વિશેષ મહત્વ પદ્મ પુરાણમાં સમજાવેલ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂનમની રાત્રિએ ચાંદના દર્શન કરવાથી જન્મલગ્ન કુંડલીમાં ચંદ્ર ગ્રહ પીડીત જાતકો માટે અંત્યત શુભ માનવામાં આવે છે. ચંદ્ર ગ્રહ બળવાન થશે.
સત્યનારાયણની કથા કરવી લાભપ્રદ બુધવારે પુનમ આવતી હોવાથી ઘરે કે ઓફિસે સત્યનારાયણની કથા કરવાથી સર્વ પ્રકારે લાભપ્રદ બની રહેશે તેમજ સફેદ રંગની ચીજવસ્તુઓ કે કાચું સીધું બ્રાહ્મણને આપવાનું અનેરુ મહત્ત્વ રહેલું છે. આવા દિવસે શક્ય હોય તો વામકુક્ષી કરવી નહીં, બ્રહ્મચર્ય વ્રત પાળવું તેમજ અસત્ય બોલવું નહીં. આવા દિવસે ઘણા લોકો વ્રત રાખે છે અને સત્યનારાયણની કથા,સત્યનારાયણ ભગવાનનું પૂજન કરે છે તેમ જ તેમની કથા વાંચી સાંભળી પૂજન કરવાનું શુભ માનવામાં આવે છે તેમજ બ્રાહ્મણોને દાન-દક્ષિણા પણ આપે છે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખનાર બધાની મનોકામના પરિપૂર્ણ થાય છે.
જો નદીમાં સ્નાન નથી કરી શકતા તો શું કરવું? ઉજ્જૈનના જ્યોતિષી પંડિત મનીષ શર્માના મતે, જે લોકો માઘી પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરી શકતા નથી, તેમણે ઘરે ગંગાજળ પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ. જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો સામાન્ય પાણીને ગંગાજળ સમજીને સ્નાન કરો. મંત્ર -‘ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી। નર્મદે સિન્ધુ કાવેરી જલે અસ્મિન્ સન્નિધિમ્ કુરુ॥’
માઘી પૂર્ણિમા સંબંધિત માન્યતાઓ
- આ દિવસે નદીમાં કરવામાં આવેલ પવિત્ર સ્નાન અને દાન શાશ્વત પુણ્ય લાવે છે, જેના શુભ પ્રભાવ જીવનભર રહે છે. વ્યક્તિનું મન ભગવાનની ભક્તિમાં મગ્ન રહે છે.
- આ તિથિએ પિતૃઓની સંતોષ માટે શ્રાદ્ધ, તર્પણ, ધૂપ અને ધ્યાન કરવું જોઈએ.
- માઘી પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી, તલ, ગોળ, ધાબળો, ખોરાક અને કપડાંનું દાન કરવું જોઈએ.
- માઘી પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવાની પરંપરા પણ છે. આ દિવસે ઉપવાસ રાખો, ભગવાનના મંત્રોનો જાપ કરો અને ઇષ્ટદેવનું ધ્યાન કરો.
- આ પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પરંપરા પણ છે.
- માઘી પૂર્ણિમાના દિવસે ગાયત્રી મંત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ અને શિવ મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે હવન પૂજા વગેરે શુભ કાર્યો પણ કરી શકાય છે.
- ઉપવાસ અને પૂજા કરતા ભક્તોએ અધાર્મિક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ અને ખાવા-પીવામાં સંયમ રાખવો જોઈએ. તમારા ગુસ્સા પર કાબુ રાખો, શાંતિથી કામ કરો.
- માઘી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો વિશેષ અભિષેક કરવો જોઈએ.