આજકાલ મોટા પાયે લોકો અસલી સમજીને નકલી ગુલાબજળનો ઉપયોગ કરી રહ્યા છે, જે ત્વચા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા હાનિકારક કેમિકલ્સ ત્વચાને કાળી કરી શકે છે. જો તમે પણ આ ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તે એલર્જી થવાનું જોખમ વધારી શકે છે. ત્યારે આ લેખમાં અમે તમને અસલી અને નકલી ગુલાબજળની ઓળખ કેવી રીતે કરવી તેના વિશે જણાવીશું, જેની મદદથી તમે સરળતાથી અસલી ગુલાબજળની ઓળખ કરી શકશો.
નકલી ગુલાબજળ ત્વચાને નુકસાન પહોંચાડે છે
- નકલી ગુલાબજળનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા કાળી પડી શકે છે અને ફોલ્લીઓ થઈ શકે છે.
- કેમિકલ્સ યુક્ત ગુલાબજળ લગાવવાથી ત્વચા પર ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
- નકલી ગુલાબજળ ત્વચા માટે ખૂબ જ ખતરનાક છે. તેના ઉપયોગથી ત્વચા પર ખીલ અને ચેપનું જોખમ પણ રહે છે.
- આ ત્વચાને સૂકવી નાખે છે, જેનાથી બળતરા પણ થઈ શકે છે
- અસલી ગુલાબજળની ઓળખ તમે પાણીના પરીક્ષણ દ્વારા પણ સરળતાથી ઓળખી શકો છો. તેના માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લો અને હવે તેમાં ગુલાબજળના થોડા ટીપાં ઉમેરો. જો ગુલાબજળ પાણીમાં ભળી જાય અને રંગ બદલાતો નથી, તો તે અસલી છે. બીજી બાજુ જો પાણીમાં ગુલાબજળ ભેળવ્યા પછી પાણીનો રંગ ગુલાબી કે અન્ય રંગ થઈ જાય અથવા તે સ્થિર થઈ નીચે બેસી જાય તો તે નકલી છે.