શંકરસિંહજી વાઘેલા, ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત સામાજિક રાજકીય અગ્રણીઓ રહેશે ઉપસ્થિત
Rajkot,તા.08
કોટડા સાંગાણી તાલુકા રાજપૂત (ક્ષત્રિય )સમાજ અને યુવા રાજપુત સમાજ દ્વારા માણેકવાડા ગામે 13મો સરસ્વતી સન્માન સમારંભ તારીખ 11 ને રવિવારે સવારે 9:00 થી 01:00 કલાકે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માણેકવાડા ગામના ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે . વધુ વિગત મુજબ કોટડા સાંગાણી તાલુકા રાજપુત (ક્ષત્રિય) સમાજ અને કોટડા સાંગાણી તાલુકા યુવા રાજપૂત સમાજ દ્વારા માણેકવાડા ગામે તારીખ 18 ને રવિવારે સવારે 9:00 થી 1:00 કલાકે 13મો સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સમારંભના અધ્યક્ષ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા, કાર્યક્રમના ઉદ્ઘાટક ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અને મુખ્ય મહેમાન તરીકે પૂર્વ નાયબ સચિવ અશોકસિંહજી પરમાર ,ક્ષત્રિય સમાજના મોભી પ્રવિણસિંહજી જાડેજા (સોળિયા), પ્રાધ્યાપક ડો.દિકપાલસિંહજી જાડેજા, ડો.કિશોરસિંહજી સોલંકી, અતિથિ વિશેષ તરીકે રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધોધુભા જાડેજા, મોરબી એલ.ઇ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર વી.એસ.સીતાપરા, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા , કૃષિ બેંકના ડિરેક્ટર હરદેવસિંહ જાડેજા, કોટડા સાંગાણી મામલતદાર ગુમાનસિંહજી જાડેજા, સામાજિક અગ્રણી હરિચંદ્રસિંહ જાડેજા,રણવીરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, પરબતસિંહજી જાડેજા અને કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખ અંજનાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સામાજિક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં શિક્ષણ , રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષા ખાતે રમતગમત સહિત ક્ષેત્રે પ્રદાન કરનાર દીકરા- દીકરીઓનું સન્માન કરવામા આવશે. ક્ષત્રિય સમાજના ભાઈ બહેનોએ ઉપસ્થિત રહેવા સંસ્થાન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે.