New Delhi તા.24
અત્રેના રેલવે સ્ટેશન પર ફરી એકવાર ભાગદોડની સ્થિતિની ખબર બહાર આવી છે. સ્યેશનનાં પ્લેટફોર્મ નંબર 12 અને 13 પર મોટી સંખ્યામાં યાત્રીઓ એકઠા થયા હતા.ભાગદોડની સ્થિતિ શિવગંગા એકસપ્રેસ, સ્વતંત્ર સેનાની એકસપ્રેસ, જમ્મુ રાજધાની એકસપ્રેસ, લખનૌ મેલલ અને મગધ એકસપ્રેસનાં પ્રસ્થાનમાં વિલંબથી થઈ હતી.
જોકે આ ભાગદોડમાં કોઈ ઘાયલ નથી થવું ભીડ નિયંત્રીત કરવા તરત પોલીસ ટીમ તૈનાત કરી દેવાઈ હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા નથી થઈ તેમ પોલીસે જણાવ્યું હતું કે જયારે બીજી બાજુ રેલવેએ ભાગદોડની ઘટનાનો ઈન્કાર કર્યો હતો.
કોઈ અપ્રિય ઘટના બની હોવાનો ખુલાસો થયો હતો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મહાકૂંભ દરમ્યાન નવી દિલ્હી રેલવે સ્ટેશને ભાગદોડમાં 18 યાત્રીઓનાં મોત થયા હતા.