Morbi,તા.25
નવા વઘાસીયા ગામના રહેવાસી ૨૩ વર્ષીય મહિલા પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે રહેતા સંગીતાબેન બાબુભાઈ ઉધરેજા (ઉ.વ.૨૩) નામની મહિલા પોતાના ઘરે પોતાના રૂમમાં કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં મહિલાનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે