સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓને લાગુ પડતી બંધારણીયતાની અવધારણા છે તેમ સરકારે જણાવ્યું છે
New Delhi, તા.૨૬
કેન્દ્ર સરકારે વકફ (સુધારા) કાયદાનો સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો હતો અને સંસદ દ્વારા પસાર બંધારણીયતાની અવધારણા સાથેના કાયદા પર બ્લેન્ક્ટે (સંપૂર્ણ) સ્ટે મુકવાના પગલાનો વિરોધ કર્યો હતો. પોતાના ૧,૩૩૨ પાનાની એફિડેવિટમાં કેન્દ્રસરકારે વકફ કાયદાની બંધારણીયતાને પડકારતી અરજીઓને નકારી દેવાની અપીલ કરી હતી. તેનું કહેવું હતું કે કેટલીક જોગવાઇઓ માટે ખોટી-ખોટી વાર્તા ચલાવવામાં આવી રહી છે. કેસોની સુનાવણી થાય છે ત્યારે આ કોર્ટ આ પડકારોની ચકાસણી કરશે. પરંતુ સંપૂર્ણ કે આંશિક સ્ટે યોગ્ય નહિ રહે. પરિણામે, કેન્દ્રએ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચને વિનંતી કરી કે, ૫ મેના રોજ વચગાળાના નિર્દેશો પસાર કરવા માટેની અરજીઓની સુનાવણી માટે તૈયાર છે, જેથી કાયદાની જોગવાઈઓ પર રોક ન લગાવવામાં આવે.સરકારે દાવો કર્યો હતો કે ૨૧૦૩થી વકફની મિલ્કતોમાં ૧૧૬ ટકાનો આશ્ચર્યજનક વધારો થયો છે. તેણે આઠ એપ્રિલ સુધી વકફ બાય યુઝરની મિલ્કતોની ફરજિયાત નોંધણી મુદે દલીલનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું હતું કે વચગાળાના આદેશ થકી જોગવાઇમાં દરમિયાનગીરી કરાશે તો તે ન્યાયિક આદેશ દ્વારા કાયદાકીય તંત્રની રચના જ ગણાશે. એવી દલીલ પણ કરાઇ હતી કે કાયદો એ માન્ય અને લેજિસ્લેટિવ પાવરની કાયદેસરની કવાયત છે. જે વકફની સંસ્થાને મજબૂત બનાવે છે અને તેને બંધારણીય સિદ્ધાંતો સાથે જોડે કરે છે.કેન્દ્રસરકારે વધુમાં દલીલ કરી હતી કે આ એક નિયત સ્થિતિ છે કે બંધારણીય કોર્ટો સીધી કે આડકતરીરીતે એક કાયદાકીય જોગવાઇ પર સ્ટે ન મુકી શકે. સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓને લાગુ પડતી બંધારણીયતાની અવધારણા છે તેમ સરકારે જણાવ્યું છે.