પત્નીના મોત બાદ ગુમસૂમ રહેતા યુવકે ઘઉંના ટીકડા ખાઈ પગલું ભર્યું,
Gondal,તા.1
ગોંડલના સુલતાનપુર પોલીસકની હદમાં આવેલ નવાગામ યુવાને પત્નીના વિરહમાં ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લેતા મોત થયું હતું. આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગત મુજબ ગોંડલ ના નવા ગામે રહેતા અને લોખંડના ડેલામાં છૂટક મજૂરી કરી ગુજરાત ચલાવતા ભાણજીભાઈ મૂળજીભાઈ રાઠોડ ૪૩ એ ગઈકાલે સાંજે ચાર વાગ્યાના સુમારે પોતાના ઘરે ઘઉમાં નાખવાનો પાવડર પી લેતા પ્રથમ સારવાર ગોંડલ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં લાવવામાં આવતા ગઈકાલે સાંજે ૨૦/૪૫ કલાકે સારવાર દરમિયાન ભાણજીભાઈ નું મોત નીપજ્યું હતું. આગે ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ભાણજીભાઈ ની પત્ની એ એક અઠવાડિયા પહેલા ગળેફાંસો ખાઈ લઈ જીવા દોરી ટુકાવી લીધી હતી, ત્યારથી ભાણજીભાઈ ગુમસૂમ રહેતા હતા, ભાણજીભાઈ ની માતાના મૂર્તયુ બાદ પિતાએ પણ બીજું ઘર કર્યું હતું, અને તે ઘર પાસે અલગ રહેતા હતા, આ બનાવ અંગે સુલતાનપુર પોલીસ સ્ટેશનના એએસઆઇ દિનેશભાઈ એ તપાસ હાથ ધરી છે