Srinagar તા.3
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એમસી-એમઆઈએ ભારત પાકિસ્તાનની બોર્ડર પર પણ જઈ શકે છે. તપાસ સાથે સંકળાયેલા એક સુત્રે જણાવ્યુ હતું કે બોર્ડર પર કેટલાંક એવા શંકાસ્પદ પોઈન્ટ ચિહિનત કરવામાં આવી રહ્યા છે જયાંથી આતંકીઓ દ્વારા પાકિસ્તાન તરફથી ઘુસણખોરીની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
તેમાં બોર્ડર વિસ્તારમાં આતંકીઓ દ્વારા ખોદવામાં આવેલી સંભવિત સુરંગ (ભોયરૂ) પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે તેની ઓળખ થયા બાદ ફરી એનઆઈએની ટીમ બોર્ડર વિઝીટ પણ કરશે.
તપાસ માટે એમઆઈએએ પાંચ-પાંચ ઓફિસરોની ટીમ બનાવી છે જે અલગ અલગ પાસાઓની તપાસમાં લાગી છે. ખૂદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ગૃહ સચીવ ગોવિંદ મોહન તેમાં પળેપળની જાણકારી મેળવી રહ્યા છે. સુત્રોનુ કહેવુ છે કે ટુંક સમયમાં જ પ્રારંભિક રિપોર્ટ મંત્રાલયને સોંપવામાં આવશે.
શોધખોળમાં ગાઢ જંગલો બન્યા મોટી સમસ્યા
સુત્રોનું કહેવુ છે કે, સૌથી મોટી સમસ્યા આતંકવાદીઓની શોધખોળમાં દેવદારનાં ગાઢ જંગલોથી થઈ રહી છે. જેથી ગાઢ જંગલો ઉપરથી હેલીકોપ્ટર અને ડ્રોનથી સર્ચ અભિયાન ચલાવવામાં પરેશાની થઈ રહી છે.
એજન્સીઓને પણ લાગે છે કે હુમલો કર્યા બાદ આતંકીઓએ બોર્ડર પાર તો નહીં કરી હોય તેમને જીવતા કે મરેલા પકડવાની કોશીશ તેજ થઈ રહી છે.
પહેલગામ નરસંહારમાં પાકિસ્તાનનો સીધો હાથ
પહેલગામ નરસંહારમાં તપાસ એજન્સીઓને પાકિસ્તાની જાસુસી એજન્સી આઈએસઆઈ અને લશ્કરનો હાથ હોવાના પુરાવા મળ્યા છે. તપાસ એજન્સીઓને મળેલ ડીઝીટલ પુરાવા હુમલામાં લશ્કર એ જૈશ એ મોહમ્મદની સાથે પાકિસ્તાની સેનાની મીલીભગત તરફ પણ ઈશારા કરે છે.
પહલગામમાં હુમલો કરનાર આતંકીઓ અને તેમનાં ઓવર ગ્રાઉન્ડ વર્કરોની સીમા પાર બેઠેલા હેન્ડલરો સાથે સતત વાતચીત થઈ હતી. આથી સ્પષ્ટ છે કે કાવતરાનાં મુળીયા ઘણા ઉંડા છે.
અધિકારીઓ જણાવી રહ્યા છે કે સુરક્ષા એજન્સીઓ હુમલાખોર આતંકીઓને જીવતા પકડવાની કોશીશ કરી રહી છે જેથી પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય સ્તરે ખુલ્લુ પાડી શકાય. મુંબઈ હુમલામાં કસાબનાં પક્ડાઈ જવાથી પુરા કાવતરાનો પર્દાફાશ થયો હતો.
ત્રણ પાકિસ્તાની સહિત પાંચ આતંકીઓએ ખુની ખેલ ખેલ્યો હતો
આતંકીઓએ 22 એપ્રિલે અનેક પર્યટકોને ધર્મ પૂછીને ખુની ખેલ ખેલ્યો હતો. હુમલાની જવાબદારી લશ્કરનુ મહોરૂ સંગઠન ધી રિઝેસ્ટેન્સ (ટીઆરએફ) એ લીધી હતી પણ ભારતનાં વધતા દબાણને લઈને તે બાદમાં ફરી ગયુ હતું. હુમલામાં સંડોવાયેલા પાંચ આતંકીઓની ઓળખ તપાસી એજન્સીઓએ કરી લીધી છે.
તેમાં હાસીમ મુસા સહીત ત્રણ પાકિસ્તાની અને આદિલ અને અહેસાન શેખ નામનાં બે સ્થાનિક આતંકીની ઓળખ થઈ છે. આદિલ અને અહેસાસનાં મકાન સુરક્ષા એજન્સીઓએ તોડી પાડયા હતા.
25 થી 30 કિલોમીટરનાં ક્ષેત્રમાં હોઈ શકે છે આતંકી
માનવામાં આવે છે કે હુમલાખોર આતંકી પહેલગામમાં 25 થી 30 કિલોમીટરમાં ક્ષેત્રમાં જ ક્યાંક છુપાયા છે. આથી સુરક્ષા દળોએ પહલગામ, બેસરન લારનુ, હપતગુંડ, ડુરૂબ અને તેની સાથે જોડાયેલ વિસ્તારોમાં આવેલા જંગલો અને પહાડોમાં તલાસી અભિયાન ચાલુ રાખ્યુ છે.
જયારે સીમા પાર બેઠેલ લશ્કર કમાન્ડર અને આઈએસઆઈ હુમલાનો મુખ્ય ગુનેગાર હાશીમ મુસા ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથ લાગે તે પહેલા તેને કોઈપણ રીતે સુરક્ષીત કાઢવામાં પ્રયાસમાં લાગી છે. જેથી તેને પાકિસ્તાન પાછો લાવી શકાય તેના માટે પાકિસ્તાની હેન્ડલર કથિત રીતે પોતાના સ્થાનિક ઓવર ગ્રાઉન્ડ વર્કર નેટવર્કથી પણ સંપર્કમાં છે.