મુંબઈ ખાતે ખાલી કરવાના ઘઉં બારોબાર વેચી દઈ છેતરપિંડી આચારનાર પ્રિયા ટ્રાન્સપોર્ટના માલિક સહિત ત્રણ સામે ફરિયાદ
Gondal,તા.04
ગોંડલ સ્થિત ગણેશ એગ્રી શોર્ટ ટેક્સ નામની પેઢીમાંથી મુંબઈ ની વાસી માર્કેટ ખાતે પહોંચાડવા ને બદલે રૂપિયા 9.30 લાખની કિંમતના 30 ટન ઘઉં બારોબાર વેચી નાખવા ની અંગેની પ્રિયા ટ્રાન્સપોર્ટ ના માલિક, કમિશન એજન્ટ અને ટ્રકના ચાલક સામે છેતરપિંડી આચાર્ય અંગેની ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ ગોંડલ ખાતે માં રહેતા અને શ્રી ગણેશ એગ્રી શોર્ટ ટેક્સ નામની પેઢી ધરાવતા મયુરભાઈ હસમુખભાઈ ભાલાળાએ રાણીગંજના મશરૂરઅલી સજનુંદિન, મુંબઈના પ્રિયા ટ્રાન્સપોર્ટ ના માલિક સુરેશભાઈ અને કમિશન એજન્ટ હિંમતભાઈ ગોરી શહેર ત્રણ શકશો એ રૂપિયા 9.30 લાખની કિંમતના ત્રણ ઘઉં ફોરવી ગયા અંગેની સીટી બે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મુંબઈની વાસી માર્કેટ ખાતે ઘઉં ખાલી કરવા માટે પ્રિયા ટ્રાન્સપોર્ટ ની ટ્રકમાં રૂપિયા ૯.૩૦ લાખની કિંમતના 30 ટન ઘઉં મોકલ્યા હતા જે ઉપરોક્ત ત્રણેય શખ્સોએ ઘઉં વાટી માર્કેટ ને બદલે અન્ય સ્થળે ખાલી કરી છેતરપિંડી આચાર્ય અંગેની ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ છે.