બંને દેશો સાથે વેપાર નહિ કરવા વિચારણા, એક્સપોર્ટરો સાથે વાતચીત કરશે
Morbi,તા.19
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં તુર્કી અને અઝરબૈઝાને પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો ત્યારે પાકિસ્તાનને સપોર્ટ કરનાર બંને દેશ વિરુદ્ધ ભારતમાં બોયકોટ અભિયાન ચાલી રહ્યું છે જેના સમર્થનમાં મોરબી સિરામિક એસો પણ આવ્યું છે અને બંને દેશો સાથે સિરામિક ઉદ્યોગનો વાર્ષિક ૧૦૦ કરોડનો વેપાર જતો કરવા તૈયારી દર્શાવી છે
મોરબી વિટ્રીફાઈડ એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયા અને વોલ ટાઈલ્સ એસો પ્રમુખ હરેશભાઈ બોપલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તુર્કી અને અઝરબૈઝાન એમ બંને દેશમાં વાર્ષિક ૧૦૦ કરોડ રૂપિયાની સિરામિક પ્રોડક્ટની નિકાસ કરવામાં આવી રહી છે પરંતુ દેશહિત સૌ પ્રથમ આવે છે જરૂર પડ્યે દેશહિતમાં બંને દેશોમાં નિકાસ નહિ કરવા વિચારણા કરવામાં આવી રહી છે પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં તુર્કી અને અઝરબૈઝાન બંને દેશો પાકિસ્તાનને સમર્થન કરતા જોવા મળ્યા હતા જેથી ૧૦૦ કરોડનો વેપાર બંધ કરવા વિચારી રહ્યા છીએ જે અંગે એક્સપોર્ટરો સાથે વાતચીત કરવામાં આવશે અને વેપાર બંધ કરવા નિર્ણય કરવામાં આવશે હાલ સિરામિકમાં મંદીનો માહોલ હોવા છતાં સિરામિક ઉદ્યોગ રાષ્ટ્ર પ્રથમ ભાવના સાથે કામ કરશે અને ૧૦૦ કરોડનો વાર્ષિક વેપાર બંધ કરી દેવા તૈયારી દર્શાવી છે
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સપોર્ટર બંને દેશોમાં ફરવા જનાર ટુરિસ્ટ ટીકીટ કેન્સલ કરી દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સાથે જ અનેક ટુર ઓપરેટરો પણ બુકિંગ કેન્સલ કરી તુર્કીને તેની ઓકાત દર્શાવી રહ્યા છે જે બોયકોટ અભિયાનમાં મોરબી સિરામિક ઉદ્યોગ પણ જોડાવવા તત્પર છે અને દેશહિત જ સર્વોપરી છે તે સંદેશ પણ આપ્યો છે