Morbi,તા.19
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાના જાંબાજ જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી અડ્ડાઓ ઉડાડી દીધા હતા તેમજ પાકિસ્તાની સેનાએ કરેલા દુસાહસનો મુહતોડ જવાબ આપ્યો હતો ત્યારે સેનાના પરાક્રમને બિરદાવવા માટે વાંકાનેરના રાજ્માંગો પર તિરંગા યાત્રા નીકળી હતી
પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને બેરહમીથી ધર્મ પૂછી મોતને ઘાટ ઉતાર્યા હતા તે હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદુર શરૂ કરી માત્ર ગણત્રીની મિનિટોમાં આતંકવાદી હઠા નેસ્તનાબૂત કરી પુરા વિશ્વને ભારતની તાકાતનો અંદાજ આપી એક સંદેશો આપ્યો કે ભારતની સેના દરેક મોરચે અડીખમ છે એ સેનાના કાર્યને સાબાસિ આપવા આ તિરંગા યાત્રા યોજવામાં આવેલ હતી જેમાં સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જવાનોની મર્દાનગીને બિરદાવી હતી. તિરંગા યાત્રામાં ભાજપ અગ્રણીઓ, કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા