New Delhi,તા.23
સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ ઓનલાઈન અને ઑફલાઈન Gambling એપ્લિકેશનને રેગ્યુલેટ કરવાની માગ કરતી PIL પર કેન્દ્ર પાસે જવાબ માગ્યો છે. બેન્ચે કહ્યું કે, તે કેન્દ્રને પુછશે કે, આ Gambling મુદ્દે શું નિર્ણય લઈ શકાય. આ Gambling માટે કેન્દ્ર સરકારને નોટિસ આપવામાં આવી છે. આ Gambling મામલે એટર્ની જનરલ અને સોલિસિટર જનરલની સહાય પણ માગી છે.
જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, આ મામલે શું કરી શકાય? સૈદ્ધાંતિક રૂપે અમે તમારી સાથે છીએ. પરંતુ તમને ગેરસમજ છે કે, કાયદો બનાવી તેને અટકાવી શકાય. જેમ આપણે લોકોને હત્યા કરતાં અટકાવી શકતા નથી. તેમ કોઈપણ કાયદો લોકોને Gambling, સટ્ટાબાજી, જુગાર રમતા અટકાવી શકે નહીં. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે કે.એ. પૉલની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી.
તેલંગાણામાં ઈન્ફ્લુએન્સર્સ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. મૌલિક અધિકારોનું ઉલ્લંઘન બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ આ Gambling મામલે કંઈ ખાસ કરી શકે નહીં, કારણકે તે સમાજની વિકૃત્તિઓ છે. કાયદો બનાવી લોકોને સ્વેચ્છાએ Gamblingમાં ફસાતાં રોકી શકાય નહીં.