Morbi,તા.29
લાયન્સનગરમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતા પોતાના ઘરે પોતા કરતી હતી ત્યારે પગ લપસી જતા માથામાં ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું
મૂળ ગોધરાના વતની અને હાલ મોરબીના લાયન્સનગર રણછોડનગર પાસે રહેતા દક્ષાબેન હેતુલભાઈ પટેલ (ઉ.વ.૨૫) નામની પરિણીતા તા ૨૮ ના રોજ પોતાના ઘરે ઓસરીમાં પોતા કરતી હતી ત્યારે લાદી પર પાણી ઢોળાયેલું હોવથી પગ લપસી જતા માથાના પાછળના ભાગે ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે