Morbi,તા.03
વાંકાનેરનો રહેવાસી પરિવાર રાજકોટ દાંતની સારવાર અર્થે રાજકોટ ગયો હતો ત્યારે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોનાના દાગીના, ૩ મોબાઈલ સહીત ૧.૭૦ લાખની મત્તા અજાણ્યા ઈસમો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ રતિલાલ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩ મેના રોજ દીકરી ઊર્મિની દાંતની સારવાર અર્થે રાજકોટ જવા સવારે ફોર વ્હીલ કાર લઈને ફરિયાદી, તેના પત્ની, બંને દીકરીઓ ગયા હતા અને દીકરી ઊર્મિની દાંતની સારવાર પૂર્ણ કરી રાજકોટ રહેતા સાળા સુનીલ સોલંકીના ઘરે રોકાયા હતા ગત તા. ૧૫ મેના રોજ સવારે પાડોશીએ મકાનનું તાળું તૂટેલ હોવાનો ફોન કર્યો હતો અને દરવાજો તૂટેલ છે તેમ જણાવ્યું હતું જેથી ઘરે આવી ઘરમાં જોતા તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં હતો તિજોરીમાં રાખેલ દાગીના જેમાં સોનાના બે પેન્ડલ સેટ આશરે વજન ૨૦ ગ્રામ, સોનાની કાનની બુટી ત્રણ જોડી વજન આશરે ૧૦ ગ્રામ, સોનાનું મંગલસૂત્ર વજન આશરે ૨૦ ગ્રામ, સોનાની કાનમાં પેરવાની કડી ચાર જોડી આશરે ૫ ગ્રામ, સોનાની કાનની સેળ એક જોડી આશરે ૫ ગ્રામ સોનાની વીતી ૫ ગ્રામ, નાકના દાણા નંગ ૦૬ અને ચાંદીનો જુદો ૧૫ ગ્રામ, ચાંદીની મગ માળા ૫ ગ્રામ, ચાંદીના સાંકળા આઠ જોડી આશરે ૩૦૦ ગ્રામ અને ત્રણ એન્ડ્રોઇડ મોબાઈલ સહીત કુલ રૂ ૧,૭૦,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે