Rajkot, તા. 8
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યની પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ (RFSL) માટે સાયન્ટિફિક ઓફિસર (ફિઝિક્સ) વર્ગ-2ની જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના ત્રણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક ગુજરાતની વિવિધ પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં કરવામાં આવશે.
પસંદગી પામનારાઓમાં ડો. હિમાંશુ દધીચ, યુવરાજસિંહ ડોડિયા અને યુવરાજ ચંદુનો સમાવેશ થાય છે. ડો. હિમાંશુ દધીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એસસી. તથા પીએચ.ડી. પૂર્ણ કરી છે, જ્યારે યુવરાજસિંહ ડોડિયા હાલમાં ભૌતિકશાસ્ત્ર ભવનમાં પીએચ.ડી. અભ્યાસ સાથે સંશોધન કાર્ય કરી રહ્યા છે. યુવરાજ ચંદુએ પણ ભૌતિકશાસ્ત્ર ભવનમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી છે.
ડો. હિમાંશુ દધીચે ડો. પિયુષ એસ. સોલંકીના માર્ગદર્શન હેઠળ “Charge Transport and Related Mechanisms for Manganite basedHeterostructures” વિષય પર પીએચ.ડી. પૂર્ણ કરી છે. બીજી તરફ યુવરાજસિંહ ડોડિયા ડો. જે. એ. ભાલોડિયાના માર્ગદર્શન હેઠળ “Role of Dopant in the Properties of Manganite and Multiferroic Materials” વિષય પર સંશોધન કરી રહ્યા છે.
બંનેના સંશોધન વિષયો આધુનિક મટીરિયલ્સ સાયન્સ અને ક્ધડેન્સ્ડ મેટર ફિઝિક્સ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંકળાયેલા હોવાથી તેમની મજબૂત વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ સ્પષ્ટ થાય છે.

