New Delhi/Kathmandu,તા,13
ભારતને હવે વધુ એક પાડોશી દેશની ચિંતા સર્જાઈ છે. હાલમાં જ ચુંટણી બાદ આક્રમક બનેલા નેપાળ સાથેની સીમા પર નેપાળ સેનાએ ભારતના ક્ષેત્રોમાં `સર્વે’ કરવા પ્રવાસ કરતા બીએસએફએ તેમને રોકયા હતા તથા બન્ને દળો સામસામા આવી ગયા હતા.
બન્ને દેશો વચ્ચે સરહદ પર કદી આ પ્રકારના તનાવ સર્જાયો નથી પણ નેપાળમાં બાલેન શાહ સરકાર આવતા વિવિધ મુદાઓ પર તનાવ વધી રહ્યા છે અને તેઓએ સીમા પર તેના દળોની હીલચાલ વધારી દીધી છે.
જેમાં બિહારના ચંપારણ ક્ષેત્રમાં એક ભારતીય ગામ પર તેઓએ દાવો કરીને ત્યાં વધારાના સૂરક્ષા દળો ગોઠવવા પ્રયાસ કર્યા હતા અને 40 જેટલા જવાનો નેપાળ સેનાના મેજર જનરલ બહાદુર અધિકારીના નેતૃત્વમાં આ ક્ષેત્રમાં પહોંચી હતી.
જેને ભારતીય સીમા સુરક્ષા દળોએ રોકી હતી તથા આ ક્ષેત્રમાં ઘુસવા દીધી ન હતી. નેપાળી સૈનિકો સિવિલ ડ્રેસમાં પહોંચ્યા હતા પણ બીએસએફએ તેઓને પારખી લીધા હતા. બન્ને દેશો તનાવ બાદ નેપાળી સેના ટુકડીને પરત મોકલાઈ હતી. આ ક્ષેત્રમાં નદીએ માર્ગ બદલતા સરહદી સ્થિતિ બદલાઈ છે.

