Rajkot,તા.16
મુંબઈ ખાતે ભારે વરસાદને કારણે રાજકોટની હવાઈ સેવાને અસર પડી. રાજકોટથી મુંબઈ આવાગમન થતી ફલાઈટો એકથી બે કલાક ડીલે કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે મુંબઈની બે ફલાઈટોનું નિર્ધારીત સમયે આગમન પ્રસ્થાન રહ્યું હતું. પરંતુ બપોરથી સાંજ સુધીની મુંબઈની ત્રણ ફલાઈટોને ડીલે કરવામાં આવી રહી છે.
મુંબઈ ખાતેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ભારે વરસાદના પગલે બપોરની ઈન્ડિગો એર લાઈન્સની મુંબઈ-રાજકોટ -મુંબઈ 12-25ના બદલે 14-25 કલાકે ટેકઓફ થશે તેમજ સાંજે મુંબઈની 18-20 કલાકની ઈન્ડિગો અને એર ઈન્ડિયાની 18-05 કલાકની ફલાઈટ એક કલાક ડીલે કરવામાં આવી છે.
મુંબઈ એરપોર્ટમાં ભારે વરસાદના લીધે ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક હવાઈને અસર પડતા ડોમેસ્ટિક ફલાઈટોનો શિડયુલ ખોવાયેલો છે. જેની અસરથી રાજકોટની હવાઈ સેવાને બપોરથી સાંજ સુધી અસર પડી છે.