Junagadh , તા.16
જુનાગઢ છાયા બજાર ના ગંધર્પ વાળા માં અતિ પૌરાણિક આવેલ ભગવાન જગન્નાથજી ના મંદિરે પુરીના જગન્નાથજીની આબેહૂબ પ્રતિકૃતિ આવેલી છે, દર વર્ષે અષાઢી બીજના અહીંયા વહેલી સવારથી વિશ્વયાગ યજ્ઞ યોજવામાં આવે છે જેમાં આજે સવારે ભગવાનનું ઔષધી યુક્ત સામગ્રીઓથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદ બપોરના ચાંદીની સાવરણીથી પહીદ વિધિ બાદ ત્રણને 30 કલાકે જય રણછોડ માખણ ચોર નાના સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી નગર ચર્ચાએ ન નીકળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના પ્રાચીન સમયમાં બળદના ગાડાઓ સાથે જગન્નાથજીના મંદિરથી દામોદરજી કુંડ સુધી રથયાત્રા યોજાતી હતી જેમાં હવે શહેરના વિવિધ માર્ગો ઉપરથી ભગવાન જગન્નાથજી રથમાં બેસી નગર ચર્ચાએ નીકળે છે.
આજે સવારે અષાઢી બીજના પાવન દિવસે ભાવિકો દ્વારા ગુલાબજળ, પંચામૃત, સહિતની ઔષધી યુક્ત સામગ્રીઓ થી સ્નાન કરવામાં આવેલ પરંતુ બાદ ધ્વજ રોહન, બીજ ભોગ હાંડીપ્રસાદ , મહા આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આજે બપોરના 3:30 કલાકે રાજકીય, સામાજિક આગેવાનો, ભાવિકો ની ઉપસ્થિતિમાં રથયાત્રાનો દોરડા ખેંચીને પ્રારંભ કરવામાં આવશે જેમાં સંતો મહાનુભાવો હસ્તે ચાંદીની સાવરણીથી પહિદ વિધિ કરવામાં આવશે. બહેન સુભદ્રાજીના રથને વિવિધ મહિલા મંડળો, મહિલાઓ દ્વારા દોરડા વડે રથને ખેંચવામાં આવશે, સેવા ભાભી સંસ્થાઓ દ્વારા શરબત, ડ્રાય ફુટ દૂધ, ચા કોફી સોડા ચણાનો પ્રસાદ લોકોને આપવામાં આવશે રથયાત્રા સંપન્ન થયા બાદ રાત્રીના વાંઝાવાડ માં ખરડેશ્વર વાડીએ મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ભગવાન જગન્નાથજી ને મામેરુ કરાયું
જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા સંદર્ભે ખરડેશ્વર વાડીથી જગન્નાથજી મંદિર સુધી જળ અને છાબ યાત્રા યોજાઇ હતી. યાત્રા મંદિરે સંપન્ન થયા બાદ હીરા દીપ ચેરીટેબલ દ્રષ્ટિ ભગવાન જગન્નાથ, બલરામ જી તથા બહેન સુભદ્રજીના શણગાર તથા રૂપાના હાથ અને રૂપાનો સાવરણો તથા ધ્વજાજી સહિતના મામેરાની ચીજ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.

