Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર

    September 25, 2025

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર
    • Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના
    • Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા
    • ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી Missile નું સફળ પરીક્ષણ કર્યુંઆ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે
    • 26 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 26 સપ્ટેમ્બર નું રાશિફળ
    • વિસ્થાપિત Kashmiri હિન્દુઓને નોકરીમાં છૂટછાટ આપવી જોઈએ, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
    • Mithun Chakraborty વિરુદ્ધ કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી નહીં,કોલકાતા હાઈકોર્ટે ટીએમસી નેતાને આદેશ આપ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Bhavnagar: આવતા મહિનાથી વંદેભારત સ્લીપર ટ્રેન શરૂ થશે
    મુખ્ય સમાચાર

    Bhavnagar: આવતા મહિનાથી વંદેભારત સ્લીપર ટ્રેન શરૂ થશે

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.4
    ભાવનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આવતા મહિનાથી વંદેભારતની સ્લીપન ટ્રેન શરૂ કરવાનું એલાન કર્યું હતું. ઉપરાંત રાજકોટ-પોરબંદર વચ્ચે નવી ટ્રેન બે ગતિશકિત કાર્ગો ટર્મીનલ તથા ભાવનગરમાં નવા બનનારા બંદર પર કન્ટેનર ટર્મીનલનાં પ્રોજેકટ જાહેર કર્યા હતા. અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન પણ તુર્ત શરૂ થવાનું કહ્યું હતું.

    ભાવનગર-અયોધ્યા વચ્ચેની અઠવાડીક ટ્રેનને લીલીઝંડી આપવાના સમારોહમાં સામેલ થયેલા રેલ્વે પ્રધાને કહ્યું કે સપ્ટેમ્બરથી વંદેભારત સ્લીપર ટ્રેન શરૂ થઈ જશે.

    તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રેલ્વે સાથે ભાવનાત્મક સંબંધ છે. તેથી, તેમને રેલવે પ્રત્યે ખાસ લાગણી છે. તેઓ હંમેશા રેલ્વેનો વિકાસ કેવી રીતે કરવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી ટેકનોલોજી કેવી રીતે લાવવી. કેવી રીતે વિસ્તરણ કરવું તે દિશામાં સરકાર હંમેશા કાર્યરત રહે છે.

    પાછલા 11 વર્ષમાં રેલ્વેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આ 11 વર્ષમાં 34000 કિલોમીટરના નવા રેલ્વે ટ્રેક બનાવ્યા છે. દરરોજ લગભગ 12 કિમી નવા ટ્રેક બનાવવામાં આવે છે, જે ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. 1300 સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જે આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેશન નવીનીકરણ કાર્ય છે.

    વિદેશમાં, જ્યારે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવે છે, ત્યારે કામ ચાલુ રાખવા માટે સમગ્ર સ્ટેશન અને ટ્રેનો બંધ કરી દેવામાં આવે છે જ્યારે ભારતમાં આ કાર્ય તેજ ગતિએ અને સુપેરે આગળ વધી રહ્યું છે.

    વધુમાં મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે, પોરબંદર-રાજકોટ નવી ટ્રેન ટૂંક સમયમાં દરરોજ દોડવા લાગશે. રાણાવાવ સ્ટેશન પર નવી કોચ જાળવણી સુવિધા, સરડિયા-વાસજલિયા નવી લાઇન, ત્યારબાદ ભદ્રકાળી ગેટ, પોરબંદર શહેરમાં નવો ફ્લાયઓવર, ભાવનગરમાં 2 નવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ અને એક નવું બંદર બનવા જઈ રહ્યું છે.

    મુંબઈથી અમદાવાદની પહેલી ટ્રેન બુલેટ ટ્રેન પણ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. કામ ઝડપથી ચાલી રહ્યું છે અને જ્યારે આ ટ્રેન શરૂ થશે, ત્યારે મુંબઈથી અમદાવાદની સફર ફક્ત 2 કલાક અને 7 મિનિટની થઈ જશે.

    યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે મોદીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે. દેશ આગળ વધી રહ્યો છે અને નવા ભારતનું નિર્માણ થઈ ગયું છે. બદલાવ અને પરિવર્તનની રાહ પર આગળ વધી રહ્યો છે ત્યારે રેલવેમાં પણ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. રેલવેમાં આધુનિકીકરણની સાથે સમયસર અને સુવિધા યુક્ત રેલવે નો લાભ દેશના લોકોને મળી રહ્યો છે.

    રેલવે સેક્ટરમાં બદલાવ એ વિકસિત ભારતની રાહ છે. વધુમાં મંત્રીએ કહ્યું કે સૌરાષ્ટ્રની ભૂમિ એ સંતો, મહંતો અને શ્રદ્ધાની ભૂમિ છે ત્યારે અયોધ્યા ટ્રેન થકી રામલલ્લાના દર્શન કરવાનું સૌભાગ્ય આ ક્ષેત્રના લોકોને પ્રાપ્ત થશે જે બદલ રેલવે મંત્રીનો આભાર વ્યકત કરું છું.

    ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા એ રેલવે મંત્રીનું સ્વાગત કરવાની સાથે ભાવનગરને આ ટ્રેન સ્વરૂપે મળેલી મહામૂલી ભેટ બદલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

    આ તકે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, મહંત શંભુનાથજી ટુડીયા, શીવાભાઈ ગોહિલ, મેયર ભરતભાઈ બારડ, સહિત ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

    આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ,વિરમગામ, મહેસાણા, પાલનપુર જંકશન, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર જંકશન, કિશનગઢ, જયપુર જંકશન, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ જંકશન, ભરતપુર જંકશન, ઇદગાહ, ટુંડલા જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનઊ અને બારાબંકી જંકશન સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

    આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, સ્લીપર, થર્ડ એસી, થર્ડ એસી ઇકોનોમી અને સેકન્ડ એસી કોચ હશે. ટ્રેન નંબર 19201/19202 માટે ટિકિટ બુકિંગ 3 ઓગસ્ટથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025
    રાષ્ટ્રીય

    ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી Missile નું સફળ પરીક્ષણ કર્યુંઆ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે

    September 25, 2025
    અન્ય રાજ્યો

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાંકે બિહારી મંદિર અને નિધિવનની મુલાકાત લીધી અને વૃંદાવનમાં કલ્પવૃક્ષનો છોડ વાવ્યો

    September 25, 2025
    મુખ્ય સમાચાર

    સ્વદેશીનો અર્થ એ છે કે કંપની ગમે ત્યાંની હોય, માલ ભારતમાં જ બનેલો હોવો જોઈએ: PM

    September 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canadaના વિદેશ મંત્રી અનિતા આનંદ આવતા મહિને ભારતની મુલાકાત લેશે.

    September 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર

    September 25, 2025

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025

    ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી Missile નું સફળ પરીક્ષણ કર્યુંઆ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે

    September 25, 2025

    26 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 25, 2025

    26 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર

    September 25, 2025

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.