નવ લોકો સાથે છેતરપિંડી અને આરોગ્ય અધિકારીના બોગસ ઓર્ડરો બનાવવાના ગુનામાં જેલ વાસ લંબાયો
Rajkot,તા.30
એઇમ્સમાં નર્સિંગમાં નોકરી આપવાના બહાને નવ લોકો સાથે છેતરપિંડી અને આરોગ્ય અધિકારીના બોગસ ઓર્ડરો બનાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા કચ્છના શખ્સની જામીન અરજી અદાલતે રદ કરી છે.વધુ વિગત મુજબ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ તરીકે ફરજ બજાવતા હરેશભાઈ બાલુભાઈ સવનિયા એ માંડવી તાલુકાના બિદડા ગામનો જતન ઉર્ફે જતીન નરેન્દ્રભાઈ ધોળકિયા એ માં નોકરી હેમ્સમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી અપાવી દેવાના બહાને નવ લોકો સાથે રૂપિયા સાડા પાંચ લાખની છેતરપિંડી અને બોગસ ઓડરો બનાવવ્યા કૌભાંડ આચાર્ય અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 30-5-2024 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જતન ઉર્ફે જતીન નરેન્દ્રભાઈ ધોળકિયા (રહે કચ્છ) વાળા એ કહેલું કે એઇમ્સ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં ભરતી કરવાની છે. આરોગ્ય અધિકારી સચિવાલય ગાંધીનગરનો બોગસ સહી સિક્કા વાળો નર્સિંગ ની નોકરીનો ઓર્ડર આપી અને ફરિયાદીને મળેલ નોકરીના ઓર્ડર ની તપાસ કરતા માલુમ પડેલ કે આરોપીએ એઇમ્સમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી માટેનો આરોગ્ય અધિકારી સચિવાલય ગાંધીનગરનો બોગસ સહી સિક્કા વાળો ઓર્ડર બનાવેલો તપાસમાં ખુલતા પોલીસે આરોપી જતન ઉર્ફે જતીન નરેન્દ્રભાઈ ધોળકિયા ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરેલો હતો. જતન ઉર્ફે જતીન ધોળકિયા જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલા અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે આરોપીએ સરકારી બોગસ ઓર્ડરો બનાવેલ છે અને તેમાં સરકારી બોગસ સિક્કાઓ અને સહીઓ કરી ગંભીર ગુનો આચરેલ છે આવા આરોપીને જો જામીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં અને ફરી પાછા આવા ગુના આચાર છે અને અન્ય નોકરી ઈચ્છુક લોકોને તેની જાળમાં ફસાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી મોટી રકમ લઈ અને અન્ય કચેરીના આવા બોગસ ઓર્ડરો બનાવી ગુનાઓ કરશે તેથી આરોપીને જામીન અરજી રદ કરવા રજૂઆત કરી હતી. તે રજૂઆત ને ધ્યાને લઈ સેશન્સ જજ વી.એ.રાણા જામીન અરજી રદ કરી છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.