Prabhaspatan તા.25
નીતિનભાઈએ સારા વરસાદ માટે મહાદેવ ને પ્રાર્થના કરી અને દારૂબંધી મુદ્દે નીતિન પટેલનું સૂચક નિવેદન આપ્યું કે દારૂબંધી હટાવવાથી ગુજરાત સરકારને હજારો કરોડની આવક થાય. પરંતુ ગુજરાત માં કાયદો વ્યવસ્થા દારૂબંધી ને કારણે જ મજબૂત છે.મોટા ભાગના ગુજરાતી ઓ દારૂબંધી ના સમર્થન માં છે. શંકરસિંહ વાઘેલા ના દારૂબંધી મુક્તિ ના નિવેદન ને વ્યક્તિગત ગણાવ્યું..
ઝેન જી આંદોલન મુદ્દે નીતિન પટેલનું નિવેદન આંદોલન તો આઝાદી વખતે પણ થતાં હતાં..અને આઝાદી પછી પણ થયા છે. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન સમયે હું પણ યુવા અવસ્થામાં આંદોલન માં જોડાઈ ચુક્યો છું.ઝેન જી આ તો શબ્દ નવો આવ્યો છે. પરંતુ યુવાનો હમેશાં જ્યારે કોઈ વિચાર આવે પ્રેરણા મળે કે પ્રોત્સાહન મળે ત્યારે પોત પોતાની રીતે આંદોલન કરતા હોય છે.
સમાં પક્ષે જે કોઈ સરકાર હોય કે નેતાગીરી હોય એમને પણ યુવાનોને પ્રેમથી સમજાવી યુવાનો નું આંદોલન સમેટવું જોઈએ. દિલ્હી જંતર મંતર ખાતે પણ સરકારે સમજદારી પૂર્વક આંદોલનનું સુખદ ઉકેલ લાવ્યો છે.

