Mumbai ૩૧
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજીત એક સુંદર કાર્યક્રમ રેડિયો અને દૂરદર્શનની સોનેરી અવિસ્મરણીય સફર નામે મુંબઈના વિલે પાર્લે ખાતે કલા ગુર્જરી ના સહયોગથી શનિવાર, ૨૯, ઓગષ્ટની સાંજે યોજાઈ ગયો જેના પરિકલ્પના અને સંયોજન નિરંજન પંડ્યાના હતાં. આ કાર્યક્રમ અંતર્ગત પરિસંવાદમાં રાજુભાઈ ભરત યાજ્ઞિક, ઉત્કર્ષ મઝુમદાર , હરીશ ભીમાણી, કિરીટ બારોટ અને દીપક મહેતા એ રસાળ શૈલીમાં પોતપોતાની વાત રજૂ કરી હતી. સતીશ વ્યાસ અને પ્રીતિ જરીવાલાએ ધીરુબેન પટેલ લિખિત રેડિયો નાટિકાનું ભાવવાહી પઠન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપા દેસાઈએ કર્યું હતું તો આભાર વિધિ વિકાસ ઘનશ્યામ નાયક દ્વારા થઈ હતી. કાર્યક્રમ માટે આકર્ષક સેટ પરેશ મિસ્ત્રીએ ડીઝાઈન કર્યો હતો
કાર્યક્રમમાં રસાળ સુજ્ઞ પ્રેક્ષકો વચ્ચે કલાગુર્જરીના પ્રમુખ હેમાંગ જાંગલા, નરેશ સરવૈયા, અકાદમીના સંજય પંડ્યા, પ્રો કૃષ્ણા અને હસમુખ ગાંધી, રેડિયો સાથે સંકળાયેલા દક્ષા દવે અને હર્ષા જગદીશ, મિનળ પટેલ,, ઉદય મઝૂમદાર, ખેવના દેસાઈ અને રાજકોટથી પધારેલા પ્રેમલ રાજુભાઈ યાજ્ઞિક, અમદાવાદથી પધારેલા વિજય પ્રભાકર નાયકની વિશેષ હાજરી હતી. સફળ રહેલાં આ કાર્યક્રમ બાદ પ્રેક્ષકોએ તેનો ભાગ બે ટૂંક સમયમાં રજૂ કરવા આયોજકોને વિનંતી કરી હતી.

