Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    છેલ્લાં બે વર્ષમાં Diploma Engineering ના ૪૫૫૩ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૦.૨૫ કરોડની સહાય ચૂકવાઈ

    September 10, 2025

    સાવલીના ગામોમાં earthquake ના આંચકાથી ગભરાટ, તંત્રનો ’સબ સલામત’નો દાવો

    September 10, 2025

    Patan માં મંજૂર થયેલી જગ્યાના બદલે અન્ય જગ્યાએ યુનિવર્સિટી ધમધમતી હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું

    September 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • છેલ્લાં બે વર્ષમાં Diploma Engineering ના ૪૫૫૩ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૦.૨૫ કરોડની સહાય ચૂકવાઈ
    • સાવલીના ગામોમાં earthquake ના આંચકાથી ગભરાટ, તંત્રનો ’સબ સલામત’નો દાવો
    • Patan માં મંજૂર થયેલી જગ્યાના બદલે અન્ય જગ્યાએ યુનિવર્સિટી ધમધમતી હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું
    • ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે, Harsh Sanghvi
    • Gujarat Assembly માં કેગ રિપોર્ટ ૨૦૨૩-૨૪, રાજ્યની નાણાકીય સ્થિતિનું સાચું ચિત્ર
    • CM Bhupendra Patel બનાસકાંઠા પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે, નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે
    • France ના રસ્તાઓ પર ભયંકર હિંસા, રાષ્ટ્રપતિ મેક્રોન વિરુદ્ધ સેંકડો લોકો વિરોધમાં બહાર આવ્યા
    • Congo’s North Kivu province, અંતિમ સંસ્કાર પર આતંકવાદી હુમલામાં ૬૦ થી વધુ લોકોના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે?
    ધાર્મિક

    પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે?

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2025Updated:September 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    શ્રાદ્ધમાં પિતૃઓનું મનપસંદ ભોજન બનાવીને જો બ્રાહ્મણ,સંત-મહાપુરૂષો અને પરીવારના તમામ સદસ્યોને ભેગા કરીને જમાડવામાં આવે તો તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.શ્રાદ્ધ એ ફક્ત કર્મકાંડની વિધિ નથી પરંતુ આપણી વચ્ચેથી વિદાય લીધેલ આપણા પૂર્વજો કે જેમને આપણા માટે તેમને પોતે જીવનમાં તકલીફો વેઠીને અમોને સુખ મળે,અમે જીવનમાં પ્રગતિ કરીએ તે માટે જે કર્મ કર્યા તેમને કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધાભાવથી યાદ કરવાનું પર્વ છે.
    જે તૃપ્તિ આપ એક મનુષ્યને જીવતાં જીવ આપી શકો છો તે તૃપ્તિ આપ તેના મરણોપરાંત હજારોનું દાન,પુણ્ય કે પૂજાપાઠથી આપી શકતા નથી એટલા માટે મરણોપરાંત શ્રાદ્ધ કર્મથી ઉત્તમ એ છે કે જીવતાં જીવ વડીલોની સેવા કરવી.શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા ઉપરથી બન્યો છે.શ્રદ્ધામાં ઘણી શક્તિ છે તે પત્થરને દેવતા બનાવે છે.શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ બહેન દિકરી કે ભાણેજને જે કંઇ આપવામાં આવે તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેવો વિશ્વાસ રાખવો.જે લોકો શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તેમના પિતૃઓ પ્રસન્ન થાય એટલે દેવતાઓ અને પ્રભુ પરમાત્મા પણ સંતુષ્ટ થઇને તેમને આયુષ્ય સંતાન ધન સ્વર્ગના સુખો અને મોક્ષ પ્રદાન કરે છે.દુનિયામાં તમામ જગ્યાએ તમામ ધર્મો અને જાતિના લોકો કોઇને કોઇ રૂપમાં મૃતકોનું શ્રાદ્ધ કરે છે. મૃતકોની યાદમાં સ્મારકો અને મકબરા બનાવેલ જોવા મળે છે.પૂર્વજોના નામે ગામ શહેર ફળિયા સંસ્થા મકાન કૂવા તળાવ મંદિર કે મિનારા બનાવીને તેમને લાંબો સમય સુધી યાદ કરવામાં આવે છે.તેમની યાદમાં પુણ્ય તીથીઓ ઉજવવામાં આવે છે.શ્રાદ્ધમાં પિતૃઓના નામથી વૃક્ષારોપણ કરવું જોઇએ કે જેનાથી અનેક લોકોને લાભ થાય.
    અમારો સમાજ ઘણો ભૌતિકવાદી બની ગયો છે.સ્વાર્થ વિના કોઇને મદદ કરવા ઇચ્છતો નથી.શ્રાદ્ધ પક્ષમાં અમારા પૂર્વજોના નિમિત્તે બીજાઓને જે કંઇ દાન કે ભોજન કરાવવામાં આવે છે તેનાથી સમાજના ગરીબ અને જરૂરીયાતમંદોને મદદ મળે છે તથા સમાજમાં સહયોગ અને સમન્વયની ભાવના જાગે છે.ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસ શ્રાદ્ધના દિવસો ગણાય છે.આ દિવસોમાં આપણાપૂર્વજો,ઋષિમુનિઓ અને સંતોના તર્પણ અને તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરવાના દિવસો છે. 
    તર્પણ એટલે તેમને તૃપ્ત કરવા,સંતુષ્ટ કરવા.તેમને આપેલ સંસ્કારોથી ધર્મ અને સંસ્કૃતિ ટકાવવા પ્રયત્ન કરીએ.પૂર્વજોની આબરૂ અને પ્રતિષ્ઠા વધે એવું જીવન જીવીશું તો તે પ્રસન્ન થશે. 
    વર્તમાન સમયમાં વડીલો સમાજની મુખ્ય ધારાથી દૂર થતા જઇ રહ્યા છે.જે અમારા પરીવારનું અંગ હતા,જેનું લોહી અમારી નાડીઓમાં વહે છે,જેમને અમોને સંસ્કાર અને શિક્ષણના માધ્યમથી અમોને જીવન જીવતા શિખવ્યું છે તેઓ જ્યારે હયાત નથી ત્યારે તેમના કરેલા ઉપકારને શ્રદ્ધાપૂર્વક યાદ કરવા જોઇએ, તેઓ જે પણ યોનિમાં હોય તે યોનિમાં તેમને દુઃખ ના પડે,સુખ-શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું,તેમના પ્રત્યે અમારી કૃતજ્ઞતા પ્રગટ કરવાનું નિમિત્ત શ્રાદ્ધ છે.આમ કરવાથી અમારી આવનારી નવી પેઢીમાં સાંસ્કૃતિક વિચારધારાની સાથે સાથે વડીલોનું સન્માન કરવાની ભાવના જાગૃત થશે.
    માન્યતા એવી છે કે શ્રાદ્ધ ન કરવાથી પિતૃઓની ઇચ્છા અતૃપ્ત રહેવાથી તેઓ કુટુંબીજનોને ત્રાસ આપે છે.સામાન્યપણે દર વર્ષે પિતૃઓના મૃત્યુની તીથીએ શ્રાદ્ધ કરવામાં આવે છે.મૃત્યુતીથી ખબર ન હોય તો અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે.વર્તમાન સમયમાં લોકો ભક્તિ સેવા સુમિરણ સત્સંગ કરતા ન હોવાથી માયામાં ફસાઇને મૃત્યુ પછી તેમનો લિંગદેહ અતૃપ્ત રહે છે જે મૃત્યુલોકમાં અટવાય છે જેમની ઇચ્છાઓ શ્રાદ્ધ વિધિ દ્વારા પૂર્ણ કરીને તેમને આગળની ગતિ પ્રાપ્ત કરાવવી એ શ્રાદ્ધ કરવા પાછળનો મુખ્ય હેતુ છે.
    જેના ઘરમાં સતત ઝગડા થતા હોય,એકબીજા સાથે અણબનાવ,નોકરી ન મળવી,ઘરમાં પૈસો ન ટકવો,ઘરના કોઇ સભ્યને ગંભીર માંદગી થવી,તમામ સંજોગો અનુકૂળ હોવા છતાં વિવાહ ન થવો,પતિ-પત્ની વચ્ચે અણબનાવ,ગર્ભધારણ ન થવો,વારંવાર ગર્ભપાત થઇ જવો,વિકલાંગ બાળક જન્મવું કે કુટુંબના કોઇ સભ્યને વ્યસન લાગવું..આવી ઘટના બને તો સમજવું કે ઘરના પિતૃઓ નારાજ છે.
    વિનોદભાઇ માછી નિરંકારી
    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)
    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…નેપાળ સંકટમાં, ભારતે સાવધ રહેવું પડશે

    September 10, 2025
    લેખ

    GST Reforms 2025-શું GST Reduction ના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવાનો સૌથી મોટો પડકાર છે?

    September 10, 2025
    ધાર્મિક

    પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે

    September 10, 2025
    લેખ

    AIIMS નવી દિલ્હીમાં બ્રેઈન બાયો બેન્કની શરૂઆત કરાઈ

    September 10, 2025
    લેખ

    તંત્રી લેખ…લાગણીઓ ઉશ્કેરતી રાજનીતિ, સાવધાન રહેવું જોઈએ

    September 9, 2025
    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ? Last part

    September 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    છેલ્લાં બે વર્ષમાં Diploma Engineering ના ૪૫૫૩ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૦.૨૫ કરોડની સહાય ચૂકવાઈ

    September 10, 2025

    સાવલીના ગામોમાં earthquake ના આંચકાથી ગભરાટ, તંત્રનો ’સબ સલામત’નો દાવો

    September 10, 2025

    Patan માં મંજૂર થયેલી જગ્યાના બદલે અન્ય જગ્યાએ યુનિવર્સિટી ધમધમતી હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું

    September 10, 2025

    ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે, Harsh Sanghvi

    September 10, 2025

    Gujarat Assembly માં કેગ રિપોર્ટ ૨૦૨૩-૨૪, રાજ્યની નાણાકીય સ્થિતિનું સાચું ચિત્ર

    September 10, 2025

    CM Bhupendra Patel બનાસકાંઠા પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે, નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે

    September 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    છેલ્લાં બે વર્ષમાં Diploma Engineering ના ૪૫૫૩ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૦.૨૫ કરોડની સહાય ચૂકવાઈ

    September 10, 2025

    સાવલીના ગામોમાં earthquake ના આંચકાથી ગભરાટ, તંત્રનો ’સબ સલામત’નો દાવો

    September 10, 2025

    Patan માં મંજૂર થયેલી જગ્યાના બદલે અન્ય જગ્યાએ યુનિવર્સિટી ધમધમતી હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું

    September 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.