૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે તક; રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા યુવાનો પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરી શકશે ’વિકસિત ભારત’નું વિઝન વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની સુવર્ણ તક
Rajkot
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય દ્વારા માય ભારત પોર્ટલના માધ્યમથી ‘‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ () ૨૦૨૭‘‘નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનોની રચનાત્મક વિચારસરણી, નવીનતા, નેતૃત્વ ક્ષમતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો તેમજ વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો ઉદેશ્ય છે.
માય ભારત, રાજકોટના નાયબ નિયામક સ્વરૂપ દેશભ્રતાર સાહેબ એ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે ભારતને વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા દેશભરમાં ’વિકસિત ભારત ક્વિઝ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખુ ઇવફફિિં ઙજ્ઞિફિંહ દ્વારા યોજાતી આ ક્વિઝમાં ૧૫ થી ૨૯ વર્ષની વયના પાત્ર યુવાનો ભાગ લઈ શકશે. ક્વિઝ ૨૨ ભાષામાં યોજાઈ રહી છે, જેમાં ભારત, ભારતીય વારસો, દેશની સિદ્ધિઓ, વિકાસયાત્રા અને વિકસિત ભારત ૨૦૪૭’ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કાની ક્વિઝ ૧૭ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી યોજાશે. ત્યારબાદ ૫ થી ૯ ઓક્ટોબરે નિબંધ સ્પર્ધા, ૧૦ થી ૧૬ નવેમ્બરે જિલ્લા કક્ષાની , ૧૭ નવેમ્બરથી ૭ ડિસેમ્બર દરમિયાન રાજ્યકક્ષાની અને અંતિમ તબક્કામાં ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૭ દરમિયાન યોજાશે.
આ તબક્કાઓમાં સુશાસન, ટેકનોલોજી, રોજગાર, પર્યાવરણ, ઉદ્યોગસાહસિકતા, નવીનતા, પ્રવાસન, માનવ મૂડી, ગ્રીન ગ્રોથ અને બ્લુ ઇકોનોમી જેવા વિષયો પર યુવાનો પોતાના વિચારો અને ઉકેલો રજૂ કરી શકશે. રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા યુવાનોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ પોતાના વિચારો અને વિકસિત ભારત અંગેનું વિઝન રજૂ કરવાની તક મળશે.
માય ભારત, રાજકોટના નાયબ નિયામક સ્વરૂપ દેશભ્રતાર સાહેબ એ રાજકોટ શહેર / જિલ્લાના યુવાનોને આ રાષ્ટ્રીય અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. તેમણે યુવાનોની જ્ઞાન, સર્જનાત્મકતા, નવીનતા અને નેતૃત્વ ક્ષમતાને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. ક્વિઝમાં ભાગ લેવા પાત્ર યુવાનો ળુબવફફિિં.લજ્ઞદ.શક્ષ ખુ ઇવફફિિં ઙજ્ઞિફિંહ ઉપર રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવી શકશે. વધુ માહિતી માટે સ્વરૂપ સાહેબ મોબાઈલ નં. ૯૫૭૯૪ ૧૧૨૦૨ ઉપર સંપર્ક કરવા માય ભારત રાજકોટ ના કો-ઓર્ડીનેટર રાજેશભાઇ રાઠોડ એ અનુરોધ કરેલ છે.

