New Delhi,તા.૧૦
સુપ્રીમ કોર્ટે તૃણમૂલ કોંગ્રેસના (ટીએમસી) સાંસદ અભિષેક બેનર્જીને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તેમને આંખની સારવાર માટે ત્રણ અઠવાડિયા માટે વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપી. અભિષેક બેનર્જીએ કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.
કોલકાતા હાઈકોર્ટે અભિષેક બેનર્જીની અરજી ફગાવી દીધી, જેમાં કહેવામાં આવ્યું કે તેઓ એસએસકેએમ હોસ્પિટલમાં મેડિકલ બોર્ડ સમક્ષ તબીબી તપાસ કરાવવા તૈયાર નથી. કોર્ટે કહ્યું કે વિદેશમાં સારવારની જરૂરિયાત ફક્ત મેડિકલ બોર્ડના નિષ્ણાત અભિપ્રાયના આધારે જ નક્કી કરી શકાય છે.
હાઈકોર્ટે જણાવ્યું કે ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જી તેમની તબીબી સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે બીજા દિવસે કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં રચાયેલા મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થવા તૈયાર નથી. અરજી ફગાવી દેતા, હાઈકોર્ટે જણાવ્યું હતું કે, “અરજદાર (બેનર્જી) ની રજૂઆતને ધ્યાનમાં રાખીને કે તેઓ કોલકાતાની જીજીદ્ભસ્ હોસ્પિટલમાં મેડિકલ બોર્ડ સમક્ષ હાજર નહીં થાય, આ કોર્ટ માને છે કે આ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાને વધુ પેન્ડિંગ રાખવો જોઈએ નહીં.”
હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો અભિષેક બેનર્જી મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થયા હોત, તો કોર્ટ તબીબી નિષ્ણાતોના મંતવ્યના આધારે તપાસ કરી શકત કે શું તેમને ખરેખર આંખની સારવાર માટે વિદેશ જવાની જરૂર છે. હાઈકોર્ટે અગાઉ જણાવ્યું હતું કે તપાસ ચાલુ હોય ત્યારે અરજદારને વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપવાના પક્ષમાં નથી. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે કોલકાતામાં ઘણા પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત આંખની સારવાર ક્લિનિક્સ છે.
અભિષેક બેનર્જીએ તેમની સામે દાખલ કરાયેલી એફઆઇઆર રદ કરવાની પણ માંગ કરી હતી. આ એફઆઇઆર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા ૨૭ એપ્રિલે યોજાયેલી જાહેર સભામાં વિરોધ પક્ષોના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ કથિત ટિપ્પણીઓ સાથે સંબંધિત છે.

