Jamnagar તા.16
જામનગર ના ચર્ચાસ્પદ અપહરણ તથા હત્યા ના કેસ માં મુખ્ય આરોપી એ વચગાળાના જામીન મેળવી જીલ્લા જેલ જામનગર માંથી પેરોલ જમ્પ થયેલ આરોપી પુનઃ પકડી પાડવા આવ્યો છે.અને તેને જેલ માં મોકલી આપ્યો છે.
પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સ નો ઉપયોગ કરી પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરૂરી વર્કઆઉટ કરી રહેલ હોય આ દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ ને બાતમી મળી હતી કે જામનગર જેલના કાચા કામ નો કેદી શુભમ ઉર્ફે સચીન નિલેષભાઇ પરમાર (રહે.ગુલાબનગર મોહનનગર જામનગર હાલ રહે.રાજકોટ) વાળો ગુજરાત હાઇકોર્ટ માંથી સાત દિવસ માટે વચગાળાના જામીન ઉપર જેલ મુક્ત થયો હતો. અને તેની રજા ની મુદત પુરી થતા કેદી/આરોપી ને તા.૦૩/૦૧/૨૦૨૫ના રોજ જેલ માં હાજર થવાનુ હતું પરંતુ આજદીન સુધી જેલ ખાતે પરત હાજર નહી થઈ ને ફરાર થઇ ગયેલ હોય .જે આરોપી હાલ રાજકોટ શહેર ખાતે રખડતો ભટકતો રહેતો હોવાની ચોક્કસ બાતમી આધારે તેને.ઝડપી લેવામાં આવ્યો હતો અને જામનગર જીલ્લા જેલ માં મોકલી આપવામાં આવ્યો છે.