Ahmedabad,તા.૧૧
આનંદનગર વિસ્તારમાં આવેલા એક ગર્લ્સ પીજીમાં બળાત્કારની ઘટના સામે આવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે તપાસ કરતા સામે આવ્યું છે કે ’એ-વન સિક્યુરિટી એજન્સી’નું પસારા લાયસન્સ એપ્રિલ ૨૦૨૬માં પૂરું થઈ ગયું હોવા છતાં, તેના માલિકે લાયસન્સ રિન્યુ કરાવવાની કોઈ પ્રક્રિયા કર્યા વગર જ ગેરકાયદેસર રીતે એજન્સી ચાલુ રાખી હતી. એટલું જ નહીં, આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહને કોઈ પણ પ્રકારની તાલીમ, પોલીસ વેરિફિકેશન કે સિક્યુરિટી ઓળખ કાર્ડ આપ્યા વગર જ નોકરી પર રાખી લેવામાં આવ્યો હતો. આ ગંભીર બેદરકારી બદલ આનંદનગર પોલીસે વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવતા માલિક રામપ્રકાશ હરીશંકર તિવારી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આનંદનગર પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે ‘એ-વન સિક્યુરિટી એજન્સી’નું ’પસારા’ લાયસન્સ એપ્રિલ ૨૦૨૬માં જ પૂરું થઈ ગયું હતું. લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, એજન્સીના માલિક દ્વારા તેને રિન્યુ કરાવવાની કોઈ પ્રોસેસ કરવામાં આવી ન હતી અને ગેરકાયદેસર રીતે એજન્સી ચાલુ રાખવામાં આવી હતી.
આ ઘટનામાં સંડોવાયેલા આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહને એજન્સી દ્વારા કોઈપણ પ્રકારની ટ્રેનિંગ આપ્યા વગર જ નોકરી પર રાખી લેવામાં આવ્યો હતો. આટલું જ નહીં, સિક્યુરિટી એજન્સીએ ગાર્ડનું જરૂરી પોલીસ વેરિફિકેશન પણ કરાવ્યું ન હતું અને તેને કોઈ અધિકૃત સિક્યુરિટી ઓળખ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યું ન હતું. આવી ગંભીર ક્ષતિઓ અને બેદરકારી દાખવવા બદલ આનંદનગર પોલીસે એ-વન સિક્યુરિટી એજન્સીના માલિક રામપ્રકાશ હરીશંકર તિવારી સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

