Author: Vikram Raval

વિમાન દુર્ઘટનાને લઈ પોર્ટુગલ દૂતાવાસે દુઃખ વ્યક્ત કર્યું New Delhi, તા.૧૨ એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર- AI171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની સાથે જ થોડે દૂર ક્રેશ થઈ ગઈ છે. આ ભયાનક ઘટનાને લઈ દેશ-વિદેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. વિમાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા. તેમાં ૧૬૯ ભારતીય મુસાફરો, ૫૩ બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને ૧૨ ક્રૂ મેમ્બર સવાર હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે અમદાવાદ વિમાન દુર્ઘટના પર ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં જે ઘટના બની, તે ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે. તેમાં આપણે અનેક લોકોને…

Read More

અકસ્માતમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા હતા, પોલીસે કારમાં સવાર બે શખસોની અટકાયત કરી છે Bihar , તા.૧૨ બિહારના પટણામાં મોડી રાત્રે વાહન ચેકિંગ દરમિયાન એક કારે ત્રણ પોલીસકર્મીઓને અડફેટે લીધા હતા. જેમાંથી એક મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બે પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા હતા. હાલ પોલીસે કારમાં સવાર બે શખસોની અટકાયત કરી છે. આ કાર પર ભાજપનો ઝંડો લગાવેલો હતો. જેના કારણે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. અહેવાલો અનુસાર, પટણાના એસકે પુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અટલ પથ પર પોલીસના વાહન ચેકિંગ દરમિયાન એક કારે ત્રણ પોલીસકર્મીઓ ટક્કર મારી હતી. આ ઘટનામાં એસકે પુરી પોલીસ સ્ટેશનના એસઆઈ દીપક…

Read More

મને દુઃખ છે કે વિરાટ કોહલી ગયો : મારા મતે તે જે રીતે ગયો, તેને વધુ સારી રીતે સંભાળી શકાયું હોત : શાસ્ત્રી New Delhi, તા.૧૨ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં છે, જ્યાં ટીમ ઈન્ડિયા શુભમન ગીલની કેપ્ટનશીપમાં ૫ મેચની ટેસ્ટ સીરીઝ રમશે. વિરાટ કોહલીના ટેસ્ટમાંથી નિવૃત્તિ પછી ટીમ ઈન્ડિયાની આ પહેલી સીરીઝ છે. આ દરમિયાન, ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમનું માનવું છે કે આને વધુ સારી રીતે સંભાળી શકાયું હોત. તેમણે એ પણ જણાવ્યું કે જો તેમની પાસે કોઈ ભૂમિકા હોત તો તેઓ શું કરતા. વિરાટ કોહલીએ ૧૨ મેના…

Read More

લોસ એન્જલસ નાઈટ રાઈડર્સે મેજર લીગ ક્રિકેટ ૨૦૨૫ પહેલા પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે New Delhi તા.૧૨ મેજર લીગ ક્રિકેટ ૨૦૨૫ ૧૩ જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે ઘણી ટીમો નવા કેપ્ટન સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. નવી સીઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીની ટીમ સ્ૈં ન્યૂયોર્કે નિકોલસ પૂરનને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તો હવે કોલકાતા નાઈટ રાઇડર્સ ફ્રેન્ચાઇઝીની ટીમ લોસ એન્જલસ નાઈટ રાઇડર્સે પણ પોતાનો કેપ્ટન બદલ્યો છે. નવી સીઝનમાં ઓલરાઉન્ડર જેસન હોલ્ડર લોસ એન્જલસ નાઈટ રાઇડર્સનો કેપ્ટન જોવા મળશે. મેજર લીગ ક્રિકેટ ૨૦૨૫ માટે લોસ એન્જલસ નાઈટ રાઇડર્સે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડરને ટીમનો…

Read More

૧૩ મેના રોજ તેણે રાજ કુશવાહાને મેસેજ કરીને કહ્યું કે હું થાકી ગઈ છું, તેને મારી નાખ, નહીંતર હું મરી જઈશ Indore તા.૧૨ લગ્ન પછીની વિધિઓ પૂરી થાય તે પહેલાં જ સોનમે રાજાને મારી નાખવાનું નક્કી કર્યું. ૧૩ મેના રોજ તેણે રાજ કુશવાહાને મેસેજ કરીને કહ્યું કે હું થાકી ગઈ છું, તેને મારી નાખ, નહીંતર હું મરી જઈશ. રાજે તેના જવાબમાં લખ્યું હતું કે ’હું કાંઇક કરું છું’ અને વિશાલ સાથે કાવતરું ઘડવા લાગ્યો હતો. જ્યારે ઇસ્ટ ખાસી હિલ્સ પોલીસે બુધવારે રાત્રે સોનમ, રાજ, વિશાલ, આનંદ અને આકાશની એકસાથે પૂછપરછ કરી, ત્યારે રાજે પણ સોનમના રહસ્યો ખોલવાનું શરૂ કર્યું. તેણે…

Read More

ધારવાડના હુબલી વિસ્તારમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે હુબલીમાં નદી તોફાની બની છે Bengaluru, તા.૧૨ ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)એ કર્ણાટકમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. કર્ણાટકના ધારવાડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર દિવ્યા પ્રભુએ ગુરુવારે તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળા, પીયુ અને ડિગ્રી કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરી છે. એ કર્ણાટક માટે ૭ દિવસનું એલર્ટ જારી કર્યું છે, જેમાં ૧૭ જૂન સુધી લગભગ તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ધારવાડના હુબલી વિસ્તારમાં ગુરુવારે સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે હુબલીમાં નદી તોફાની બની છે અને જિલ્લાના ઘણા હિસ્સામાં ખાસ કરીને હનાશી ગામમાં ખૂબ…

Read More

કાયદા અનુસાર દર વર્ષે સમીક્ષા દરમિયાન અને ચૂંટણી પહેલાં મતદાર યાદી માન્ય રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષો સાથે શેર કરવામાં આવે છે New Delhi, તા.૧૨ દેશમાં મતદાર યાદીમાં થતી ગેરરીતિને લઈને વિપક્ષ ચૂંટણી પંચની કાર્યશૈલી પર સતત પ્રશ્ન ઉઠાવી રહી છે. આ દરમિયાન, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે, ભારતમાં મતદાર યાદી તૈયાર કરવી એ વિશ્વના સૌથી મુશ્કેલ કામ છે. સ્ટોકહોમમાં ચૂંટણી સુચિતા પે આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કાયદા અનુસાર દર વર્ષે સમીક્ષા દરમિયાન અને ચૂંટણી પહેલાં મતદાર યાદી માન્ય રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષો સાથે શેર કરવામાં આવે છે. એ જણાવ્યું હતું કે, ૧૯૬૦…

Read More

ભારતમાં વર્ષ ૧૯૭૨થી લઈને વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્લે ક્રેશની આવી કુલ ૧૦ ઘટનાઓ બની છે New Delhi, તા.૧૨ ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે. એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર એરપોર્ટ પરથી ટેકઓફ થતાની સાથે જ થોડીક જ સેકન્ડ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં કુલ ૨૪૨ લોકોમાં ૧૬૯ ભારતીય મુસાફરો, ૫૩ બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને ૧૨ ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાન મેઘાણીનગર સ્થિત ધડાકાભેર એક બિલ્ડિંગને અથડાયા બાદ ફ્લાઈટમાં ભયાનક આગ લાગી હતી. હાલ એનડીઆરએફ સહિત તમામ ટીમો રેસ્ક્યુ-ઓપરેશન કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં ફ્લાઈટના એન્જીનમાં ટેકનીકલ…

Read More

એર ઈન્ડિયા ક્રેશથી હું આઘાતમાં છું અને નિઃશબ્દ છું, આ સમયે આપણે માત્ર પ્રાર્થના કરી શકીએ : અક્ષય કુમાર Mumbai, તા.૧૨ અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન એરપોર્ટ પરથી બપોરે ૧ઃ૩૮ વાગ્યે ટેક ઓફ થયું હતું અને ૧ઃ૪૦ વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી. એર ઈન્ડિયા પ્લેન ક્રેશથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. આ પ્લેનમાં ૨૩૦ યાત્રીઓ અને ૧૨ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ લોકો સવાર હતા. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનારું આ પ્લેન ટેક ઓફ બાદ તાત્કાલિક દુર્ઘટનાનો શિકાર બન્યુ હતું. ક્રેશ સાઈડ પરથી કાળો ધુમાડો…

Read More

New Delhi, તા.૧૨ અમદાવાદમાં વિવિધ દેશોના નાગરિકોને લઈ જતું વિમાન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ, વિમાનમાં લગભગ ૫૩ બ્રિટિશ નાગરિકો સવાર હતા. બ્રિટિશ વડા પ્રધાને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે કહ્યું છે કે વિમાનમાં બ્રિટિશ નાગરિકો હતા. યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટારમરે ટ્‌વીટ કર્યું, “ઘણા બ્રિટિશ નાગરિકોને લઈને લંડન જતું વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. અકસ્માતના દ્રશ્યો ભયાનક છે. મને આ બાબતને લગતી દરેક માહિતી આપવામાં આવી રહી છે. મુસાફરો અને તેમના પરિવારો સાથે મારી સંવેદના છે.” વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું, “અમદાવાદમાં બનેલી…

Read More