Author: Vikram Raval

ફ્લાઈટનું ઓપરેશન્સ નથી થઈ રહ્યું : તેમાં દિલ્હી અને આજુબાજુના લોકો અમદાવાદ એરપોર્ટ પર ફસાયા Ahmedabad તા.૧૨ અમદાવાદથી લંડન જતાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ બાદ ક્રેશ થઈ ગયું. ત્યારબાદ અહીંનું એરપોર્ટ સાંજના પાંચ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે કોઈ પણ ફ્લાઈટનું ઓપરેશન્સ નથી થઈ રહ્યું. તેમાં દિલ્હી અને આજુબાજુના લોકો અમદાવાદ એરપોર્ટ પર ફસાયેલા છે. તેને ધ્યાનમાં રાખતા ભારતીય રેલવે બે સ્પેશિયલ વંદે ભારત અમદાવાદ માટે ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. તેનું શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારતીય રેલવે અનુસાર, અમદાવાદથી દિલ્હી અને આજુબાજુના કેટલાય શહેરો માટે રોજ કેટલીય ફ્લાઈટ્‌સ આવે છે. દુર્ઘટનાને…

Read More

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ સિવિલ હોસ્પિટલની બહાર ભયંકર સ્થિતિ જોવા મળી Ahmedabad તા.૧૨ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ શહેરમાં સ્થિતિ ભયંકર જોવા મળી છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની મોટા પ્રમાણમાં લાઈનો લાગેલી જોવા મળી છે. સાથે જ આખું સિવિલ હોસ્પિટલ મરણચીસોથી ગૂંજી ઉઠ્યું છે. બપોરે ૧ઃ૩૮ વાગ્યે એર ઈન્ડિયાનું પ્લેન લંડન જવા માટે રવાના થયું અને ૫ મિનિટના ડિસ્ટન્સમાં જ ૧ઃ૪૩ વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન બી.જે. મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ સાથે અથડાયું હતું અને અથડાતાની સાથે જ પ્લેનમાં બ્લાસ્ટ થયો હતો. પ્લેન અને બિલ્ડિંગ બંનેમાં બ્લાસ્ટ થયો હતો, ત્યાંના…

Read More

વિમાન ગણતરીની મિનિટોમાં ક્રેશ થયું હતું અને વિમાન જે જગ્યા પર ક્રેશ થયું ત્યાં ડૉક્ટર્સની હોસ્ટેલ આવેલી છે Ahmedabad, તા.૧૨ અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના બની છે, અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી છૈં૧૭૧ ફ્લાઈટ ક્રેશ થઈ છે, અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ બાદ આ વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં ૨૪૦થી વધુ લોકો સવાર હતા. ક્રેશ થયેલા વિમાનનો કેટલોક ભાગ મેઘાણીનગરમાં આવેલી અતુલ્ય મેડિકલ હોસ્ટેલ પર પડ્યો છે. જેની અંદરની હચમચાવી દેનારી તસવીરો સામે આવી હતી. જેમાં વિમાનના કેટલાક ભાગ ઈમારત સાથે ટકરાતા ઘણો ભાગ તૂટી પડ્યો છે. વિમાનના ટાયર, તેની બોડી સહિતનો ભાગ ઈમારતની અંદર દેખાઈ રહ્યા છે. જેમાં હોસ્ટેલની અંદર…

Read More

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત Ahmedabad,તા.૧૨ આજનો દિવસ અમદાવાદના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાશે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની સૌથી મોટી ઘટના બની છે. આજે બપોરે ૧.૧૭ કલાકે એર ઈન્ડિયાની વિમાન જતી ફ્લાઇટે ટેકઓફ કર્યું હતું. પરંતુ ગણતરીની મિનિટો બાદ આ પ્લાઇટ ક્રેશ થઈ હતી. આ વિમાનમાં કુલ ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. વિમાન દુર્ઘટના બાદ તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. ૦૭૯-૨૩૨-૫૧૯૦૦ અને મોબાઈલ નં. ૯૯૭૮૪૦૫૩૦૪ ઉપર સંબંધિતો…

Read More

Ahmedabad,તા.૧૨ બુધવારે અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાના થોડા સમય પછી જ અકસ્માતનો ભોગ બન્યું હતું. આ વિમાનમાં ૨૪૨ મુસાફરો સવાર હતા. ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા. તેઓ ૮૨૦૦ કલાકનો અનુભવ ધરાવતા ન્‌ઝ્ર છે. કો-પાઇલટને ૧૧૦૦ કલાકનો ઉડાનનો અનુભવ હતો. ્‌ઝ્રના જણાવ્યા અનુસાર, વિમાને અમદાવાદથી રનવે ૨૩ પરથી ૧૩૩૯ ૈંજી્‌ (૦૮૦૯ ેં્‌ઝ્ર) વાગ્યે ઉડાન ભરી હતી. રનવે ૨૩ પરથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતો જોવા મળ્યા હતા. ગુરૂવારે બપોરે અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયું. તેમાં ૨૪૨ મુસાફરો સવાર હતા.…

Read More

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું : આ વિમાનમાં ૧૦ ક્રૂ મેમ્બર પણ હતા Ahmedabad, તા.૧૨ ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં ૧૦ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨  લોકો સવાર હતા. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ ના રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટનામાં  તમામ ૨૪૨  લોકોના મોત થયા છે. વિમાનમાં ૨૪૨  લોકો સવાર હતા, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે, જે બધાના મોત થયા છે. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ ના રિપોર્ટ મુજબ   અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે…

Read More

Ahmedabad,તા.12 અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 91 લોકોના મોત નીપજ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં  શોકનો માહોલ છવાયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. વિજય રૂપાણીના ઘરની બહાર ભારે ભીડ જામી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ…

Read More

Ahmedabad,તા.12 :આજે એરઈન્ડીયાના લંડન જતા વિમાનને નડેલી દુર્ઘટનામાં વિમાનનું સંચાલન સંભાળી રહેલા કેપ્ટન સુમીત સભરવાલ 8200 કલાકનો ફલાઈંગ અનુભવ ધરાવે છે અને કો-પાઈલોટ પાસે 1100 કલાકનો વિમાની ઉડ્ડયનના અનુભવ ધરાવે છે. આ વિમાન બપોરે 11.39 કલાકે અમદાવાદથી રવાના થયુ હતુ. રનવે નંબર-23 પરથી વિમાનને ટેક ઓફની મંજુરી અપાઈ હતી. વિમાન રવાના થયાના પાઈલોટે મેડે તાકીદની મદદનો સંદેશ કંટ્રોલ ટાવર પર આવ્યો હતો. મેડે એક આંતરરાષ્ટ્રીય તાકીદનો સંદેશ છે. જેમાં વિમાન કે જહાજના કેપ્ટન તેઓ અત્યંત ખતરામાં છે તેવો સંદેશ આપે છે અને તાકીદની મદદની જરૂર દર્શાવે છે. જો કે વિમાનને મદદ મળે તે પુર્વે જ વિમાન ક્રેશ થઈ ગયુ હતું.…

Read More

Ahmedabad,તા.12 અમદાવાદની વિમાની દુર્ઘટનામાં રાહત બચાવ કામગીરી અત્યંત ઝડપથી ચાલુ છે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ જે રીતે તે અગનગોળો બની ગયું તેમાં મોટા ભાગના મુસાફરો સપડાઇ ગયા હતા અને છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધીમાં 133 હતભાગી મુસાફરોના મૃતદેહ મળ્યા છે. હજુ આ કામગીરી ચાલુ જ છે અને તમામ મૃતદેહોને અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજમાં ખસેડવામાં આવી રહ્યા છે.તબીબી સુત્રોના જણાવ્યા મુજબ મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવો ફરજીયાત કરવો પડે તેવી સ્થિતિ છે અને તેથી મૃતદેહની ઓળખમાં ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ લાગી શકે છે. હાલ સિવિલમાં પૂરતા મોર્ગ નહીં હોવાથી અન્ય હોસ્પિટલોમાં પણ તેની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિટીશ સહિત વિદેશી…

Read More

Ahmedabad,તા.12 અમદાવાદ એરપોર્ટ પર સર્જાયેલી વિમાની દુર્ઘટના બાદ દુર્ઘટના સ્થળથી માંડી હોસ્પિટલ સુધી સર્વત્ર અફડાતફડી અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. વિમાન ક્રેશ થયા બાદ આગની લપેટમાં આવી ગયું હતું અને દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ જ વધ્યો હોવાનું ચિત્ર ઉપસતું હતું. પ્લેન ક્રેશ થયા બાદ આકાશમાં જાણે કે ધુમાડાના વાદળો સર્જાયા હતા. તાબડતોબ રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હોવા છતાં સળગતા વિમાનમાંથી પ્રવાસીઓ ક્રુ મેમ્બરોને બચાવવાનું અને બહાર કાઢવાનું પણ પડકારરૂપ બની ગયું હતું અને થોડો વખત માહોલ અરાજકતાભર્યો બની રહ્યો હતો. સુરક્ષા સહિતના વિભાગો દ્વારા તાત્કાલીક પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી છતાં દુર્ઘટના સ્થળે વિમાનના…

Read More