Author: Vikram Raval

ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની જ કલાકોમાં જંગલેશ્વર ના પ્રકાશ પરમાર ની ધરપકડ કરી Rajkot,તા.07 શહેરના કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામ નજીક ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં રહેતા રોહિતભાઈ ને છરીના ધા ઝીકી હુમલો કરવાના પ્રકાશ   જીતેશ પરમાર નામના શખ્સને ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચ  ઉઠાવી લઈ કુવાડવા રોડ પોલીસ મથક સ્ટાફને હવાલે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં રહેતા રોહિત પ્રવીણભાઈ રાઠોડ નામના નામના યુવાન ને મૂળ ચશ્તરના પારેવાડા ગામનો વતન અને હાલ જંગલેશ્વરમાં રહેતો પ્રકાશ જીતેશ પરમાર નામના શકશે ફરી વડે હુમલો કર્યા અંગેની ગવાયેલા રોહિતભાઈ ના ભાઈ ઋત્વિક ભાઈ રાઠોડ…

Read More

 ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ, કાયદામંત્રી ઋષીકેશભાઈ ,  બીસીઆઈના ચેરમેન   મનનકુમાર મિશ્રા સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત Gandhinagar,તા.07 ગાંધીનગરમાં રવિવારે નવનિયુક્ત વકીલોની ઓથ સેરેમનીનો ભવ્ય કાર્યક્રમ છે. જેમાં રાજકોટથી 5 બસો અને વાહનોમાં ધારાશાસ્ત્રીઓ ગાંધીનગર જશે. કાર્યક્રમને લઈ નવનિયુક્ત એડવોકેટ્સમાં ઉત્સાહ છવાયો છે. આ તરફ રાજકોટ બાર એસો. અને ભાજપ લીગલ સેલ દ્વારા તડામાર તૈયારીઓ થઈ છે. નામ નોંધાવવામાં બાકી રહી ગયેલ વકીલો લાઈબ્રેરી ખાતે નોંધણી કરાવે તેવો અનુરોધ કરાયો છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કાયદામંત્રી ઋષીકેશભાઈ પટેલ, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેરમેન અને રાજ્યસભાના મેમ્બર મનનકુમાર મિશ્રા તેમજ સોલિસિટર જનરલ તુષારભાઈ મહેતા, એડવોકેટ જનરલ કમલભાઈ…

Read More

એરપોર્ટ આસીસ્ટન્ટ સીવીલ એન્જીનીયર્સ પતિએ અરજીની તારીખથી મંજૂર કરી રૂા.૮ લાખ ચૂકવવા આદેશ Rajkot,તા.07 શહેરના મેઘમાયા નગર વિસ્તારની  પરણીતા  સંતાન  સુખના  મામલે સાસરીયા દ્વારા માનસિક ત્રાસ આપતા પહેરેલ કપડે કાઢી મુકતા પત્નીએ પોતાનું જીવન નિર્વા ચલાવવા માટે કરેલી ભરણ પોષણની અરજી અદાલતે મંજૂર કરી હિરાસર એરપોર્ટમાં નોકરી કરતા પતિએ માસિક 40,000 ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના મેઘમાયા નગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ નામના યુવાન સાથે વર્ષ 2000 માં જોસનાબેન નામની યુવતી સાથે  લગ્ન થયા હતા બાદ લગ્ન જીવનથી સંતાન સુખ પ્રાપ્ત ન થતા પરિવારજનો દ્વારા પરણીતા જોસનાબેન ને  અવારનવાર  ત્રાસ આપતા હોવાથી અને પત્ની જોસનાબેનને ઘરમાંથી કાઢી મૂક્યા…

Read More

ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીને    વળતર ન ચુકવે તો વધુ ૩ માસની સાદી કેદ Rajkot,તા.07 ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાંથી લોનના ચડત હપ્તાનો ચેક રિટર્ન થવા અંગેના ત્રણ વર્ષ પહેલાંના કેસમાં સભાસદને કોર્ટે તકસીરવાર ઠરાવી ૧ વર્ષની  જેલની સજા તેમજ ચેકની રકમ મુજબનું વળતર એક માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૩ માસની સાદી કેદની સજા પણ આદેશ કર્યો છે.આ ફરિયાદની વિગત મુજબ, ધનવર્ષા ક્રેડિટ કો-ઓપ. સો. લી.માંથી જગદીશ ખોડાભાઈ રાતડીયા એ રૂ.૮ લાખની સ્થાવર મિલ્કત ઉપર લોન લીધી હતી. ત્યારબાદ જગદીશ રાતડીયાએ લોનના ચડત હપ્તા પેટે મંડળીને  રૂ.૪.૬૦ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા પીપીએસ નોટ…

Read More

ધોરાજી: પીપળીયા ગામે વૃદ્ધાએ જાત જલાવી જીવનનો અંત આણ્યો Rajkot,તા.07  રાજકોટ જિલ્લામાં બે અપમૃત્યુના બનાવો બન્યા છે. જેમાં શાપર ગામના યુવાને પોતાની ઘરે ગળા ફાંસોખાઇ જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ અને ધોરાજી તાલુકાના પીપળીયા ગામે રહેતા વૃદ્ધાએ તેમના ઘરે જાત જલાવી જીવનનો અંત આણ્યો હોવાનો બનાવ પોલીસે ચોપડે નોંધાયા છે.બનાવની પ્રાથમિક માહિતી મુજબ, શાપરમાં રામાપીરના મંદિર પાસે રહેતા પ્રફુલભાઈ રામજીભાઈ સોંદરવા નામના યુવાને પોતાની ઘરે તેના ઘરમાં પંખાના હુંકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધાનો બનાવ બન્યો છે. બનાવની જાણ શાપર પોલીસને કરતા,હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ રોજસારા અને મુકેશભાઈ ડાભી સહિતની સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પ્રફુલભાઈના મૃતદેહને પી એમ અર્થે હોસ્પિટલે…

Read More

ડમ્પર ચાલકે લાકડાના ધોકા વડે હુમલો કર્યો : જેતપુર સીટી પોલીસમાં ગુનો Jetpur,તા.07 જેતપુરમાં વાહન આડું નાખવા બાબતે ઠપકો આપનાર અમરેલીના ડ્રાયવર પર ડમ્પર ચાલકે લાકડાના ધોકા વડે હુમલો કરી માથું ફોડી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. જે મામલામસ જેતપુર સીટી પોલીસમાં ડમ્પર ચાલક પ્રતાપ મેર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અમરેલી જિલ્લાના વડીયા તાકૂકાના બરવાળામાં રહેતા મહેશભાઈ કાબાભાઈ વાળા (ઉ.વ.૩૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કેજેતપુરના ખીરસરા રોડ પર સામેથી એક પીળા કલરનું ડમ્પર ધસી આવ્યું હતું. ચાલકે પૂરપાટ ઝડપે મારી તરફ ડમ્પર આવવા દેતા મેં મારૂ વાહન રોડની સાઈડમાં ઉતારી લીધું હતું. બાદમાં ડમ્પરના ચાલકને વાહન સાઈડમાં લેવા ઈશારો કરતા…

Read More

Rajkot,તા.07 શહેર  લાખાજીરાજ રોડ પરથી દારૂની 480 બોટલ સાથે બુટલેગર ગોપાલ ગમારા અને મુસ્તુફા કાજીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે દારૂ, મોબાઈલ સહીત રૂ. 86 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  લાખાજીરાજ મેઈન રોડ પર કોટક શેરી નંબર-4માં આવેલ જાહેર પ્લોટ ખાતેથી અલગ અલગ બ્રાન્ડની 180 એમએલની કુલ 480 બોટલ, ત્રણ મોબાઈલ સહીત રૂ.86,070નો મુદ્દામાલ કબ્જે કરી ભુપેન્દ્ર રોડના ગોપાલ સુરેશભાઈ ગમારા(ઉ.વ.28) અને હાથીખાનાના મુસ્તુફા અમીન કાજી(ઉ.વ.31)ની ધરપકડ કરવામાં આવી હતી.

Read More

અગાઉ ઘર સામે જોવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કર્યો Rajkot, શહેરમાં જૂની અદાવતનો ખાર રાખી પોતાનું વાહન મોરેમોરો આવવા દઈ યુવક સાથે બોલાચાલી કરી કરણ ડાંગર નામના શખ્સે માથામાં લોખંડનો પાઇપ ઝીંકી યુવકનું માથું ફોડી નાખ્યાનો બનાવ બી ડિવિઝન પોલીસના ચોપડે નોંધાયો છે. શહેરના સમજુ પાર્કમાં રહેતા આશિષભાઈ રામજીભાઈ જાદવ (ઉ.વ-૩૭)એ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં વેલનાથપરાના કરણ ડાંગરનું નામ આપતાં જણાવ્યું હતું કે, . મારા મધુબન પાર્કમાં આવેલ મકાનની બાજુમાં કરણ લાભુભાઈ ડાંગરના કેટરર્સનું ગોડાઉન આવેલું છે. આઠ માસ પૂર્વે કરણ ડાંગર તેના ગોડાઉન પાસે ઉભો રહી મારા મકાન સામે સતત જોતો હોય તે બાબતે બોલાચાલી થયેલ…

Read More

Dakor ,તા.૭ દર વર્ષની જેમ ડાકોર ખાતે આવેલા સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિર ખાતે ફાગણી પુનમ (હોળી) નિમિત્તે આ વર્ષે પણ પદયાત્રીઓ/ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવનાર છે. ત્યારે તેઓના રાત્રી રોકાણ સમયે મનોરંજન તેમજ ડાકોરના ઠાકોર એવા રણછોડરાયના ગુણગાન કરવા માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર – ખેડા દ્વારા ડાકોર મેળા દરમ્યાન “ડાકોર ફાગણોત્સવ – ૨૦૨૫” નામે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા.૧૧ અને ૧૨ માર્ચ ૨૦૨૫ દરમ્યાન થનાર છે. “ડાકોર ફાગણોત્સવ – ૨૦૨૫” નો બે દિવસ ચાલનારો વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ ડાકોરમાં મહુધા તરફથી આવતા ગાયોના વાડા વાળા…

Read More

New Delhiતા.૭ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે વિદ્યા ભારતી દ્વારા સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર વીરપુર સુપૌલના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ભારત નેપાળ સરહદી વિસ્તારના કામદારો અને નાગરિકો હાજર રહ્યા હતા. આ દરમિયાન આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું કે એવી શિક્ષણ વ્યવસ્થા બનાવવી જોઈએ કે સમગ્ર વિશ્વ ભારતના છત્રછાયા હેઠળ શાંતિ અને ખુશીનો માર્ગ મોકળો કરી શકે. તેમણે કહ્યું કે આજકાલ શાળા ચલાવવી એ એક વ્યવસાય છે, પરંતુ ભારતમાં શિક્ષણ પૈસા કમાવવાનું સાધન નથી. તેમણે કહ્યું કે શિક્ષણ પેટ ભરવા માટે નથી; પ્રાણીઓ અને પક્ષીઓ પણ પોતાનું પેટ ભરે છે. જો કોઈ વ્યક્તિ ફક્ત પોતાનું અને પોતાના…

Read More